jump to navigation

A gift on this year Navratri – “Akahand Garbo” from Rathin Mehta, Himali & Chitan Nayak. September 27, 2019

Posted by jagadishchristian in સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , ,
add a comment

A gift on this year Navratri – “Akahand Garbo” from Rathin Mehta, Himali & Chitan Nayak.

કવિવર ઉમાશંકર જોષી નું પ્રભાવક ગીત: લૂ, જરી તું…. July 21, 2019

Posted by jagadishchristian in Uncategorized.
Tags: , , , , , , , , , ,
add a comment

આજે કવિવર શ્રી. ઉમાશંકર જોષી ની આજે ૧૦૮ મી જન્મજયંતી છે અને બે દિવસથી અહીં ગરમીનો પારો સો ની સપાટીને પાર કરી ગયો છે ત્યારે તેમનું એક કાવ્ય યાદ આવ્યું. મે મહિના ની સોળમી તારીખે મુંબઈ સમાચાર માં શ્રી. નંદિની ત્રિવેદી ની કોલમ “હૈયાને દરબાર” માં આ કાવ્ય વિષે વાંચેલું જે રજૂ કરું છું. આ લેખમાં ઉલ્લેખ કરાયેલો જુલાઈ ૨૦૧૦ નો પરબનો અંક પણ સામેલ કરું છું. અને સાથે સાથે આ ગીત નો વિડીયો પણ સામે છે. શ્રી. અમર ભટ્ટ નું સ્વરાંકન અને હિમાલી વ્યાસ નાયક ના સ્વરમાં સાંભળો.    

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય!

ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે. એક આયખામાં આટલું વ્યાપક ફલક! એમની સાથેના અમારાં સંસ્મરણો વિશેની એક અંગત વાત યાદ આવે છે. ઉમાશંકર જોશી, મારા પિતા જયન્ત પંડ્યા, લાભશંકર ઠાકર જેવા અનેક સાહિત્યકારો-લેખકોના ગુરુ.‌ સાહિત્યકારોની આખી એક પેઢી તૈયાર થઈ છે એમનાં હાથ નીચે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ભણાવવાની શૈલી એટલી બધી રસપ્રદ કે એકેય વિદ્યાર્થી એમનો ક્લાસ બંક તો ન જ કરે પણ એમના પ્રભાવમાં વિસ્ફારિત આંખે એમને નિતાંત ચાહે અને સાંભળે.‌ એ પ્રભાવમાં જ મારું નામ ઉમાશંકર જોશીની દીકરી નંદિનીના નામ ઉપરથી મારા પિતાજીએ પાડ્યું હતું.

દાહોદમાં એક વાર જ્ઞાનસત્ર યોજાયું હતું. આયોજન જયન્ત પંડ્યા (મારા પિતાજી)એ કર્યું હતું. વડોદરાથી ઉમાશંકર જોશી, લાભશંકર ઠાકર, અન્ય સાહિત્યકારો સાથે મારાં માતા-પિતા અને બે વર્ષની હું, ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. તાવથી મારૂં શરીર ધીકતું હતું પણ તાવની લવારીમાંય ઈશાવાસ્યમ…ના શ્લોક મારે મોંઢેથી સરી રહ્યા હતા.‌ ઉમાશંકર જોશી આશ્ચર્યથી એ સાંભળી રહ્યા હતા. છેવટે એટલું જ બોલ્યા કે આટલી નાની વયે આવા સંસ્કાર કેટલાં બાળકોને મળતા હશે?

આ મહાકવિ સાથે એ રીતે મારો પ્રથમ પરિચય બે વર્ષની કુમળી વયે થયો હતો અને‌ સમયાંતરે પાંગરતો રહ્યો. છેલ્લે તો, ૧૯૯૦ની આસપાસ અમારી દીકરી ઈશાને રમાડવા સુરતનાં અમારા વાઈસ ચાન્સેલર્સ બંગલે આવ્યા હતા એ સ્મરણ કઈ રીતે ભૂલાય? આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં સંબંધો ફેસબુક અને વૉટ્સઍપ સુધી જ સીમિત થઈ ગયા છે ત્યારે આટલા મોટા કવિની સંબંધો સાચવવાની રીત ખરેખર આગવી હતી.

નાનપણથી જેમની કવિતાઓ સાથે અમારો ઉછેર થયો એ કવિ ઉમાશંકર જોશીનું એક હ્રદયસ્પર્શી ગીત લૂ, જરી તું ધીમે-ધીમે વા…સાંભળીને તરત જ એ વિશે લખવાની ઈચ્છા થઈ ગઈ.‌ ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અને ગીત અમે ગોત્યું… જેટલું એ પ્રચલિત નથી પરંતુ, ચૂકાય એવું પણ નથી.‌ એમાંય આ ઋતુકાળમાં તો બરાબર બંધ બેસે છે.

તાજેતરમાં જ અમદાવાદના ધોમધખતા તાપનો આકરો મિજાજ જોઈ લીધો. લૂ કોને કહેવાય એ પરચોય મેળવી લીધો. ગુજરાતમાં નાનપણમાં થોડાંક વર્ષો વિતાવ્યા હતાં પરંતુ આવી ભયંકર ગરમીનો અહેસાસ ક્યારેય થયો ન હતો. ૪૫ ડીગ્રી તાપમાનમાં ભૂલેચૂકે બપોરે બહાર નીકળ્યાં તો ખલાસ! ચામડી તતડી જાય અને ગાત્રો શીથીલ થઇ જાય. દેશભરમાં આ હીટવૅવ પ્રસર્યો હોય ત્યારે વિરહની આગ અને આભમાંથી વરસતી આગને પ્રતિબિંબિત કરતું આ મધુર ગીત સાંભળીને ચંદનના લેપની અનુભૂતિ થયા વિના રહે નહીં. ગગનમાંથી અગનવર્ષા વરસતી હોય ત્યારેય કવિની કલમ‌ અટકતી નથી.‌ કવિ ફક્ત ચાંદની રાતની રોમેન્ટિક કવિતા જ સર્જે એવું નથી.‌ કવિહ્રદય કીડીથી માંડીને કમ્પ્યુટર સુધી કલ્પનાનો ચેતોવિસ્તાર કરી શકે છે.

આજનું ગીત કવિ શિરોમણી ઉમાશંકર જોશીએ બહુ સંવેદનાસભર લખ્યું છે. વાત ભલે એમાં આકરા ઉનાળાની છે પણ એની નજાકત તો જુઓ! લૂ જરી તું ધીમે-ધીમે વા કે મારો મોગરો વિલાય…! મોગરાનું સુગંધિત વ્યક્તિત્વ અને નજાકત નારીહ્રદયનો સંકેત આપે છે. આ ગીતના શબ્દો અને સ્વરાંકન એવાં સચોટ છે કે સાંભળતાં જ ઉનાળાનો તાપ વિસરાઇ જાય. આભમાંથી ધગધગતા અંગારા વરસતા હોય ત્યારે નાજુક-નમણી નારના કેશ પર ઝૂલતા મોગરાની શું વલે થાય એ તો બહુ સ્વાભાવિક કલ્પના છે. પરંતુ, વાત છે અહીં ‌વિરહાગ્નિની, પ્રતીક્ષાની, પ્રેમની અને પ્રિયતમની.

Click on the image to read

લાભશંકર ઠાકરે ઉ.જો.ની જન્મ શતાબ્દી નિમિત્તે ‘પરબ’માં એક લેખ લખ્યો હતો તેમાં આ ગીતની વાત માંડીને કરી હતી. તેમણે લખ્યું હતું કે, “લૂ પછી ગીતસર્જકે અલ્પવિરામ લીધો છે, તેથી ગાયકે અલ્પવિરામ લેવો અનિવાર્ય. આ અલ્પવિરામ નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. નાયિકા લૂ પર અટકે અને વિરામ એટલે કે સાયલન્સ સર્જાય. નાયિકાના અંતઃકરણમાં મોગરો પણ ભાવસંકેત દર્શાવે છે. આ ગીતરચના રંગમંચને પ્રત્યક્ષ કરે છે. ડ્રામેટિક રૂપ સાથે પ્રત્યક્ષ થતા ગીતના આરંભ પછી ગીતની લયાત્મક, સ્ટ્રકચરલ બ્યુટીમાં કેવું રૂપાંતર આવે છે તે ગીતના આ અંતરામાં દર્શાવ્યું છે‌ ;

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,

સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.

એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી…”

નાયિકા પોતે આભપંખીને અનુભવે છે. પાંખો છે પણ થંભાવી દીધી છે. ઉનાળાની નિ:સ્તબ્ધ, શાંત બપોરે આખી સૃષ્ટિ ઘેનમાં જંપી ગઈ છે ત્યારે નાયિકાના દિલની ધડકનનો લયબદ્ધ રવ એકમાત્ર પ્રિયતમ જ સાંભળી શકે ને! અપલક નેત્રે એ પ્રિયતમની પ્રતીક્ષામાં છે. અહીં વિરહિણીની એકલતા અને ઉત્કટ એવી પ્રિયતમની ઝંખનાની ક્ષણો પ્રત્યક્ષ થાય છે. તાપ કરતાં વિરહની આગથી એ તપી ગઈ છે.‌ એટલે જ પ્રિયતમની છાયા ઓઢીને જાતને શીતળતાનો અહેસાસ કરાવે છે. ઉત્કટ આશા અને અભિલાષા સાથે એ રાહ જુએ છે, વ્હાલમની.

આ ભાવવાહી ગીતના સંદર્ભમાં ઉમાશંકર જોશીનાં દીકરી સ્વાતિ જોશી કહે છે, “બાપુજીએ એટલું વિપુલ સર્જન કર્યું છે કે અત્યારે હું વિચારું તો મને એમ થાય કે આટલો સમય એમને ક્યાંથી મળતો હશે? પરંતુ, બાપુજીના મનમાં કવિતા સતત રમતી હોવાનું અમે અનુભવ્યું છે એટલે એ કોઈપણ સ્થળે, સમયે લખી શકતા. ખાસ તો રાત્રે અમે ઊંઘવાની તૈયારી કરતા હોઇએ ત્યારે એ ટેબલ પર બેસી લખવા માટે સજ્જ થઇ રહ્યા હોય. વિવિધ હોદ્દાઓ પર હોવાને લીધે એમને ટ્રેનમાં પ્રવાસ ખૂબ કરવો પડતો હતો તેથી એમની કેટલીય રચનાઓ ટ્રેનમાં લખાઈ છે. ‘મહાપ્રસ્થાન’ નામનું દીર્ઘકાવ્ય તો મને બરાબર યાદ છે કે અમે મારાં બાના અસ્થિ પધરાવવા ગંગોત્રી ગયાં હતાં ત્યારે ઘરે પરત આવ્યા પછી એમણે તરત તે વિશે લખ્યું હતું. એમનો પરિવાર એટલે અમે ચાર જ નહીં પણ એમના અસંખ્ય વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકો બધાં જ. આ બધાં અમારે ત્યાં અવારનવાર આવીને રહે. શિક્ષકના ઘરે જઈને વિદ્યાર્થી રહે એ વાતની તો આજના જમાનામાં કલ્પનાય ન થઈ શકે. મૂળ મુદ્દે એમને જીવનમાં જ ખૂબ રસ હતો તેથી જ એ સાહિત્યમાં આટલું બધું ખેડાણ કરી શક્યા એવું મને લાગે છે.”

વ્યવસાયે એડવોકેટ પરંતુ, સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, “ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષ 2011માં ’પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉ.જો.નું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ‘ધીમે ધીમે‘ કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે –

‘ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા’.

પ્રથમ પંક્તિ અનાયાસ સ્વરબદ્ધ થઇ. સ્થાયીમાં રાગ ચારુકેશીના સ્વરો છે. કોમળ નિષાદથી ગીત શરૂ થાય છે એમાં ’લૂ’ને સંબોધન છે એ અનુભવી શકાશે. બીજી પંક્તિમાં એ જ સ્વરમાં ‘કોકિલા’ને સંબોધન છે એ કહેવાની જરૂર નથી.

‘ધીરે ધીરે’ પંચમથી અને ’ધીમે ધીમે’ તાર સપ્તકના ષડજથી સ્વરસંગતિ કરે છે. ‘વા‘ અને ‘ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ’ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે.”

હિમાલીનું પણ આ પ્રિય ગીત છે. “ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે જ આ ગીત કમ્પોઝ થયું હતું. આ સર્વાધિક સુંદર ગીત ગાવાની તક મને મળી એ મારું અહોભાગ્ય છે. અમદાવાદમાં તો એટલું બધું લોકપ્રિય થયું છે કે ત્યાંના દરેક કાર્યક્રમમાં એની ફરમાઇશ આવે જ અને વન્સ મોર થાય. અમરભાઇની કમ્પોઝ કરવાની શૈલી પણ એવી છે કે દરેક શબ્દ ઉઘાડીને ગાવાનો. તેથી ગાવાની ખૂબ મઝા આવે છે. આવાં ઉત્તમ ગીતો ગુજરાતી પ્રજા સુધી વધુ ને વધુ પહોંચવા જોઈએ.”

વાત તદ્દન સાચી છે. ગુજરાતી ભાષામાં ખૂબ ઉત્કૃષ્ટ કવિતાઓ લખાય છે અને સ્વરબધ્ધ થાય છે. આપણે ગુજરાતીઓએ એ સાંભળવા માટે ફક્ત કાન કેળવવાની જરૂર છે. આ ગીત મળે તો જરૂર સાંભળજો. કદાચ આંખમાંથી આંસુ ટપકે, ચારુકેશીના વિરહી સ્વરો છે. પરંતુ, ગરમીના આકરા મિજાજમાં એ મોરપીંછની હળવાશ અને સુંવાળપ આપશે એની ગૅરંટી.

*****

લૂ, જરી તું ધીરે ધીરે વા,

કે મારો મોગરો વિલાય!

કોકિલા, તું ધીમે ધીમે ગા,

કે મારો જીયરો દુભાય!

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,

સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.

એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી…

ધખતો એ ધોમ, ધીકે ધરણીની કાયાઃ

ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા,

પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં…

કવિ : ઉમાશંકર જોશી

સંગીતકાર : અમર ભટ્ટ

ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

PATHAR THAR THAR DHRUJE – કવિશ્રી. નિરંજન ભગત ના શબ્દો સૂર-સ્વર-સંગીત સાથે – ગુર્જરવાણી. June 27, 2019

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , , , , , , ,
add a comment

ઘણા ગુજરાતી કવિઓએ બાઇબલના કેટલાક પ્રસંગો અને બોધવાક્યો લઈને ગુજરાતી કવિતાની રચના કરી છે જેમાંથી ઘણી ભજન તરીકે અને થોડી કવિતા તરીકે વખણાઈ છે. એમાંની શ્રી. નિરંજન ભગતની એક રચનાને ગુર્જરવાણી દ્વારા તાજેતરમાં મ્યુજિક વિડિયો તરીકે પ્રસ્તુત કરી છે.

પ્રસ્તુત – ગુર્જરવાણી

શબ્દ રચના – કવિ શ્રી. નિરંજન ભગત

સ્વરાંકન – શ્રી. ઈમુ દેસાઈ

સ્વર – હ્રદય દેસાઈ

સમીક્ષા લેખન – શ્રી. યોસેફ મેકવાન

સમીક્ષા વાંચક – મમતા દેસાઈ

Niranjan Bhagat

પ્રા. સિલાસ પટેલિયા ની કલમે લખાયેલો આ કવિતાનો આસ્વાદ “દૂત” માસિકના જૂન ૨૦૧૪ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરો અને પીડિએફ ફોર્મેટમાં વાંચો.

 

કવિશ્રી ની બીજી ઘણી રચનાઓ પઠન કે સ્વરંકન સાથે – સાંભળો શ્રી. અમર ભટ્ટને
સંગીતકાર શ્રી ઈમુ દેસાઈ અને તેમના પરિવાર વિષે વધુ જાણકારી મારે જુઓ નીચેનો વિડિયો. ભાગ-૧ અને ભાગ-૨.


કવિશ્રી. નિરંજન ભગત વિષે વધુ માહિતી માટે નીચેનો વિડિયો જુઓ.

બાઇબલના આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને મેં પણ એક અછાંદસ કવિતા લખી હતી તે અહીં રજૂ કરવાનો મોહ છોડી શકતો નથી. તો માણો…….
હક્ક પહેલા પથ્થરનો!!!
નૂતન વર્ષનો
સૂરજ તો ઊગ્યો પૂર્વે!
સાયરન…
પોલીસ અને એમ્બ્યુલન્સ,
શું થયું? શું થયું?
બીજું એક મર્ડર?
લાશશશશ…!!!
કુતૂહલ!!!
ચર્ચા, અફ્વાઓ…
મર્યો કે માર્યો?
ડાહ્યો હતો કે દોઢડાહ્યો?
દેતો’તો વણમાગી સલાહ લોકોને,
હક્ક નથી તમને.
નિષ્પાપ ઉપાડે પથ્થર,
જો હોય તો!
દોષીત હસે છે…
ટોળું આખુંય સજીવન …………….
ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…
તું ઈસુ નથી!
અને હોય તોય શું?
હું તો બદલાઈ ગયો છું,
વ્યભિચારી બાઈ હું નથી!
એ ટોળામાં સામેલ હું નથી!
મારી પાસે પથ્થર નથી!
મારી પાસે
બન્ધૂક છે!
એ કે 47 છે!
મિસાઇલ છે!
બોંબ છે!
આત્મહત્યાની તાલિમ છે!
આતંકવાદની તાલિમ છે!
– જગદીશ ક્રિશ્ચિયન

શબ્દ, સંગીત અને સૂર-સ્વર નો સમાગમ – चाँद से लिपटी हुइ सेी रात है पर तु नहीँ…. April 23, 2019

Posted by jagadishchristian in ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , ,
add a comment

જુલાઈ ૧૮, ૨૦૧૦ ના દિવસે “સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર” નામે એક લેખ અહીં પ્રકાશિત કરેલો. અમદાવાદ ખાતે ૨૦૧૦ ના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન રથીનનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. એપ્રિલ ૧૮, ૨૦૧૯ ના મુંંબઈ સમાચાર ના લાડકી મેેેગેજીનમાં હૈયાનેે દરબાર નામની કોલમમાંં શ્રી. નંદિની ત્રિવેદીએ આ શબ્દ, સ્વરાંકન અને સૂર-સ્વરનો મહિમા રજૂ કર્યો છે. 

જલસોના ૧૦૦ મા એપિસોડ દરમ્યાન હિમાલી-વ્યાસ-નાયકે આ ગઝલની રજૂઆત કરેલી એ વિડિયો પણ નીચે છે જે જોવાનું, સાંભળવાનું રખે ચૂકતા…… (જલસો ના સૌજન્ય થકી…)

જો વાંચવામાં તકલીફ પડે તો અહીં ક્લિક કરી PDF ફોર્મેટમાં વાંચી શકાશો….

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહી
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાંં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે

મુંબઈ સમાચાર – લાડકી – હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

ચૈત્રી બપોરની દાહકતામાં લીલુંછમ ડિપ્રેશન પજવી રહ્યું હોય અથવા નિ:સ્તબ્ધ ચાંદની રાતે સ્મરણોએ મન પર કબજો લઇ લીધો હોય ત્યારે ગઝલ યાદ આવે છે. ગઝલ સાંભળવી એ મારે માટે જાતને મળવાનો અવસર છે. આંસુની સાથે બધાં દુઃખો વહાવી દઈને સાવ હળવા અને નિર્ભાર થઈ જવાનો પ્રયાસ એટલે ગઝલ. યોગાનુયોગે આજે પૂનમ છે. તપ્ત તન-મન પર ચાંદની સુંવાળો લેપ કરશે. પરંતુ, વિરહી નાયિકાનું મન તો યાદોમાં ખોવાયેલું છે. એના વ્યાકુળ હ્રદયમાંથી શબ્દો સરી પડે છે…

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી…

વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! આવો પ્રયોગ અન્ય ભાષામાં થયો હોય એવું મારા ધ્યાનમાં નથી. ગઝલ એ બહુ નાજુક કાવ્યપ્રકાર છે. એની વ્યાખ્યા ભલે પરમેશ્વર અથવા તો પ્રિયતમા સાથેની વાતચીત હોય પરંતુ, ખરેખર તો જાત સાથેનો જ સંવાદ હોય છે.‌ ગઝલ સાંભળતી વખતે આપણે જ આપણી જાતને એમાં ઓગાળી દેતાં હોઈએ છીએ. તાજેતરમાં ગુજરાતી ભાષાની પ્રથમ હરોળની ગાયિકા હિમાલી વ્યાસ-નાયકના કંઠે ભગવતીકુમાર શર્મા લિખિત આ અદભુત ગઝલ સાંભળી ત્યારથી મન પર હાવી થઈ ગઈ છે.

ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે. ભગવતીભાઇએ ગઝલમાં અવનવા પ્રયોગો કર્યા છે. એમણે ક્યારેક આખે આખો શેર અંગ્રેજીમાં આપ્યો છે જેમકે આઈ ફીડ માય વર્ડ્ઝ ટુ કમ્પ્યુટરાઈઝ્ડ વર્લ્ડ.‌ હિન્દી-વ્રજ અને ઉર્દૂનો પ્રયોગ કરીને એમણે લખ્યું છે;

જબ સે ગયે હૈ છોડ કે સાજન બિદેસવા, કજરી સૂની સૂની, સુમસામ નેજવાં…!
દ્વિરુક્તિની એમની આ અર્થસભર ગઝલ વાંચો ;
અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો
પરપોટે બરપોટે ક્યાંથી દરીયો બરીયો?
કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્
અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો
ભગવતીભાઈની ગઝલો પરંપરા, સમકાલીનતા અને આધુનિકતાના ત્રિભેટે ઊભેલી છે.

ગઝલના શેરોમાં પ્રેમ, પ્રેમમાં એકરાર-ઇનકાર, પ્રણય મુગ્ધતા, નિષ્ફળતા, પ્રિય પાત્ર દ્વારા ઉપેક્ષા, વેદના, અસહાયતા, પીડા, અધ્યાત્મ, ચિંતન જેવા અનેક વિષયો વણાયેલા હોય છે જે મનુષ્યની જિંદગી સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે. એટલે જ કદાચ સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ આટલી બધી લોકપ્રિયતાને વર્યું છે. ગઝલ કંઈ એમ જ નથી લખાઈ જતી. એમાં લાઘવ, ઊંડી દાર્શનિકતા જોઈએ, મૌલિક અભિવ્યક્તિ અને સુંવાળું હૃદય પણ જોઈએ. ગઝલ એ વસંતઋતુનો ગુલઝાર છે તો પાનખરનો પર્ણપાતી મિજાજ. હિમ પ્રદેશનો હૂંફાળો તડકો છે તો રૂપા મઢેલ રાત્રીની રંગીનીયત. ભગવતીકુમાર શર્માની ગઝલો પાસે જઈએ તો એમાં કલાઈડોસ્કોપિક રંગછટાઓ જોવા મળે.‌

આ ગઝલ મને સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકન. ખૂબ જ મીઠી અને હ્રદયસ્પર્શી આ ગઝલ સાંભળી ત્યારે ખબર નહોતી કે આ સ્વરાંકન અમેરિકાસ્થિત રથિન મહેતાનું છે.‌ અમેરિકામાં ‘ચલો ગુજરાત’ દ્વારા આખું ગુજરાત ખડું કરનાર સ્થાપકોમાંના એક વ્યક્તિ તથા સંગીતચાહક તરીકે એમનું નામ બેશક સાંભળ્યું હતું પરંતુ, એ ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કરે છે એ ખબર બહુ મોડી પડી. વ્યવસાયે બાયોટેક કન્સલ્ટન્ટ રથિન મહેતા માત્ર સંગીતના ચાહક, ઉપાસક જ નહીં, પ્રસારક પણ છે. અમેરિકામાં રહીને ગરબા, સુગમ તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને યથોચિત ઉજાગર કરે છે. સંગીતની વિધિવત્ તાલીમ ન હોવા છતાં ઉત્તમ સ્વરાંકન કરે છે જેનો તાદ્રશ નમૂનો છે આ ગઝલ. ઉ. ગુલામ અલી સાહેબની ગાયકીની યાદ અપાવે એવી આ ગઝલનો ઉપાડ જ ઉર્દૂ અંદાજમાં છે. પછી તો રાગ બાગેશ્રી-રાગેશ્રીનો હાથ ઝાલીને આ ગઝલ રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે. પરાકાષ્ઠાએ આહિર ભૈરવના સૂર મનમાં એવા જડબેસલાક બેસી જાય કે વારંવાર આ ગઝલ સાંભળ્યાં કરવાની ઈચ્છા થાય.

“આ સ્વરાંકન નિપજ્યું કેવી રીતે?” રથિનભાઈ ઉત્સાહપૂર્વક વાતની માંડણી કરે છે.

“મા-બાપે થિયેટર, મ્યુઝિક અને લિટરેચરનું સંપૂર્ણ વાતાવરણ ઘરમાં જ પૂરું પાડ્યું હતું. હું વ્યાવસાયિક કે તાલીમ પામેલો સંગીતકાર નથી પરંતુ, જરૂર કહી શકું કે મારી ‘સેલ્ફ લર્ન્ડ મ્યુઝિશિયન’ બનવાની પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક ચાલુ છે. ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ કલાકારો રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇ મારાં મામા-મામી થાય એટલે નાનપણથી જ ઘરમાં સુગમસંગીતનો માહોલ હતો.‌ આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઇ, પરેશ ભટ્ટ, શ્યામલ-સૌમિલ મુનશી, નયનેશ જાની અને મારા ગુરુ નયન પંચોલીની ઉત્કૃષ્ટ રચનાઓ સાંભળીને જ મોટો થયો છું.‌ મારા પિતા કશ્યપ મહેતાનો નાટ્ય કલાકારો સાથે ઘરોબો રહ્યો હોવાથી આઇએનટીના લગભગ બધાં નાટકો મેં જોયાં છે અને એ થિયેટર પ્રેમનો મારી સંગીતસર્જન પ્રક્રિયા પર ઊંડો પ્રભાવ છે. કવિતા હું એવી પસંદ કરૂં જેમાં દ્રશ્ય હોય, તેથી મારી સર્જનપ્રક્રિયા આસાન થઈ જાય. સાચું પૂછો તો જેમાં આખું ચિત્ર ખડું થતું હોય એવી કવિતા સામેથી જ મારી પાસે આવે અને સ્વરાંકન પોતે જ એના રંગ, મૂડ, તાલ પોતાની રીતે શોધી લે છે. હું અને કવિતા અમે બંને હાર્મોનિયમના હાઇવે ઉપર સાથે ચાલીએ અને કવિતા મને સૂરના સરનામે પહોંચાડે. ચાંદ સે લિપટી…ગઝલ સ્વરબદ્ધ કરવાનો અનુભવ એ રીતે અનોખો હતો કે એની એક લાઈન હિન્દીમાં અને બીજી ગુજરાતીમાં. મારે માટે ચેલેન્જ એ હતી કે હિન્દી લાઈન મારે હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરવી હતી.‌ ગઝલ પોતે જ એટલી મુખર અથવા તો સમજાઈ જાય એવી સરળ હતી કે સહજતાથી હું એમાં સંગીતના રંગો પૂરી શક્યો.‌ આ ગઝલ સૌપ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યારબાદ ઓસમાન મીરે એને વધુ લોકપ્રિય બનાવી અને હવે તો યુવા કલાકારો હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે.‌ સુગમ સંગીતની નવી પેઢીમાં આલાપ દેસાઈના સર્જનથી હું ખૂબ પ્રભાવિત છું. ખાસ કરીને એમનાં સ્વરાંકનો અને અરેન્જમેન્ટમાંથી મને ઘણી પ્રેરણા મળે છે.”

હિમાલી વ્યાસ-નાયક ગુજરાતી સહિત અનેક સંગીતપ્રકારો સહજતાથી ગાનાર કલાકાર છે તથા દરેક સ્વરાંકનના મૂળને વળગીને પોતાની અમેઝિંગ ગાયન શૈલી દ્વારા ગીતને બહેલાવી શકે છે.

ચાર વર્ષની વયથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યૂઝિક શીખનાર હિમાલીએ લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પાશ્ચાત્ય સંગીતની તાલીમ લીધી છે તથા છેલ્લાં ૧૫ વર્ષથી દેશવિદેશમાં વૈવિધ્યપૂર્ણ સંગીત કાર્યક્રમો આપે છે.‌ ૧૨થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપનાર હિમાલીએ અત્યારે ચાલી રહેલી ફિલ્મ ‘કાચિંડો’માં દિવિજ નાયક સાથે ઊડી ઊડી… નામનું સરસ ડ્યુએટ ગાયું છે. આ ગઝલ વિશે હિમાલી કહે છે, “૨૦૧૫માં ‘ગ્લોરિયસ‌ ગુજરાત’માં હું અમેરિકા ગઈ હતી ત્યારે રથિનભાઈ પાસે હું આ ગઝલ શીખી હતી. શીખ્યા બાદ તરત જ બીજે મહિને અમદાવાદમાં પૂજ્ય મોરારીબાપુના ‘ગઝલ સપ્તાહ’ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પહેલી વાર મેં રજૂ કરી અને ખૂબ ચાહના પામી હતી. રથિન મહેતા ગિફ્ટેડ કમ્પોઝર છે.‌ વિરહના ભાવની આ ગઝલનો છેલ્લો શેર, હૈ ઝમીં બંજર… એમણે અરેબિક અને ઈન્ડિયન ક્લાસિકલનો અદ્ભુત સ્પર્શ આપીને સ્વરબદ્ધ કર્યો છે જે મારો સૌથી પ્રિય શેર છે.‌ દરેક શેર અલગ અને મુક્ત રીતે ખૂલે છે. કવિએ શેરની શરૂઆત ક્યાંક હિન્દીમાં કરી છે તો ક્યાંક ગુજરાતીમાં. ઓસમાન મીરે ગાયાં પછી ગુજરાતના‌ યુથ ફેસ્ટિવલમાં પણ હવે આ ગઝલ ખૂબ ગવાય છે.” વાહ, આફરીન આફરીન!

આ ગઝલના રચયિતા ભગવતીકુમાર શર્માએ સાત મહિના પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.‌ પરંતુ એમની કવયિત્રી દીકરી રીના મહેતા ભગવતીભાઈની સર્જન પ્રક્રિયા અને મૃદુ સ્વભાવ વિશે મુંબઈ સમાચારના વાચકો સાથે સરસ વાતો શેર કરે છે.‌ “લેખનની શરૂઆત કરી ત્યારથી જ મારા પિતાજીનો ગઝલ પ્રેમ વ્યક્ત થઈ ગયો હતો. એમના આરંભિક સંઘર્ષકાળમાં તથા અંતિમ સમયે ગઝલે જ એમને જીવતા રાખ્યા હતા. 11 કાવ્યસંગ્રહો તથા પુરસ્કૃત નવલકથાઓ વચ્ચે શેર-શાયરી તો એમના મનમાંથી સાવ સહજ પણે ફૂટી નીકળતા.‌ આજની ગઝલ લગભગ સિત્તેરના દાયકાની છે, એ વખતે હું ખૂબ નાની હતી પરંતુ એમના પાછલાં વર્ષોમાં હું એમની સર્જન પ્રક્રિયાની સાક્ષી રહી છું. આંખની જન્મજાત તકલીફ હોવા છતાં એમણે સતત શબ્દ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું.‌ એમનું મગજ એટલું બધું સતર્ક રહેતું કે જીવનના આખરી તબક્કામાં દ્રષ્ટિ લગભગ ગુમાવી ચૂક્યા હોવા છતાં ટેબલ ઉપર કાગળ અને પેન તો હોય જ અને જ્યારે જે શેર કે કવિતા મગજમાં આવે એ એમાં ટપકાવી લે, બેશક, એમને દેખાતું તો ન જ હોય એટલે એક શેરની ઉપર બીજો શેર લખાઈ જાય.‌ ક્યારેક બોલપેનની શાહી સુકાઈ ગઈ હોય ત્યારે એમને તો ખ્યાલ જ ના આવે કે પાના ઉપર શબ્દો લખાઈ રહ્યા નથી.‌ એટલે કોરા ને કોરા પાનાં ઘણી વાર પ્રેસમાં જાય.‌ ત્યારપછી ફરીથી લખવાની તથા બધું રિ-રાઈટ કરવાની મહેનત હું કરું. બીજાને આ બધી તકલીફ ઉઠાવવી પડે એનો એમને ઘણો જ રંજ રહેતો પરંતુ એ હંમેશા કહેતા કે શબ્દ વિના મારું અસ્તિત્વ છે જ નહીં. લખું નહીં તો સાવ નકામો થઈ જાઉં!”

આવા પ્રતિબદ્ધ સાહિત્યકાર, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા, પુરસ્કૃત નવલકથાઓ ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ના રચયિતા ભગવતીકુમાર શર્મા સાહિત્યના આકાશમાં આજીવન સૂરજની જેમ ઝળહળતા રહ્યા. ગઝલ ક્ષેત્રે એમનું માતબર પ્રદાન છે. આજની ગઝલ જોકે ભગવતીભાઈની અન્ય ગઝલોની તુલનાએ પ્રમાણમાં સરળ છે.‌‌ પરંતુ સુંદર સ્વરાંકન તથા મિશ્ર ગઝલ હોવાને લીધે એની સાહિત્યિક મહત્તા વધી જાય છે.‌ એમની આ ગઝલનો શેર સાંભળો ;

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે
તળેટીથીયે શિખરે પહોંચવું છે
કોઈ રીતે સમીપે પહોંચવું છે
‘હું’-’તું’-‘તે’ ના અભેદે પહોંચવું છે…!

તેમની આ પઝલગઝલ, અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! તો એટલી લોકપ્રિય છે કે ચોમાસું બેસતાં જ સોશિયલ મીડિયા ઉપર ફરવા માંડે છે.‌

આમ, એ રીતે વિચારીએ તો આપણી ભાષામાં શું સમૃદ્ધ ગીત-ગઝલ રચાયાં છે અને ગવાયાં છે! આ પ્રકારના પ્રયોગો ખરેખર નવી પેઢીને ગુજરાતી સંગીત તરફ આકર્ષી શકે છે. બસ, એમણે આપણું જ ગુજરાતી-ગર્વીલુ સંગીત સાંભળવાની તત્પરતા બતાવવાની જરૂર છે.

*****

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં

મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી

હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી

કવિ : ભગવતીકુમાર શર્મા
સંગીતકાર : રથિન મહેતા
ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

This is a test to see if this post automatically published on Facebook page April 23, 2019

Posted by jagadishchristian in Uncategorized.
add a comment

This is a test to see if this post automatically published on Facebook page

Srujana along with TV Asia present “Masti Ki Pathshala” Aishwarya Majmudar. August 16, 2017

Posted by jagadishchristian in Uncategorized.
add a comment
Dear Friends,
This year after two successful program “SANGAM” and “YUHPURUSH” Srujana is proudly presenting Masti Ki Pathshala – Aishwarya Majmudar live in concert.
Place: TV Asia Auditorium, 76 National Road, Edison, NJ 08817
Saturday, August 19, 2017 8:00PM
Tickets will be available at the venue 7:00 to 8:00PM
$35.00 per person with light refreshment.  
Aishwarya-Shrujana2017

Srujana is proud to host and present along with GLOFNA and TVASIA, one of the best and most watched PLAY: YUGPURUSH July 28, 2017

Posted by jagadishchristian in Uncategorized.
add a comment

Dear Friends: Don’t miss this show! Limited seats, first come first served bases. Srujana LLC is hosting this event along with GLOFNA and TV Asia!

We are looking for sponsors from $250/- to $1000/- .

Srujana along with GLOFNA and TVASIA, is proud to host and present one of the best and most watched PLAY:

YUGPURUSH – મહાત્મા નાં મહાત્મા!!!

(In Gujarati)

Date: August 6, 2017

Time: 5:00 pm

Note: Light dinner will be served

Location: Tagor Hall, 269 Cedar Grove Ln, Somerset, NJ

Yugpurush

jajajjaa

SANGAM – Confluence of Classical, Folk and Fusion Music by Srujana on Thursday, May 25, 2017 May 19, 2017

Posted by jagadishchristian in સંગીત, Uncategorized.
Tags: , , , , , , , ,
add a comment

Sangam-Srujana Show052517

Dear Friends,

Team SRUJANA has organized an Excellent and Rare Combination of Great Musicians team First Time Together On Stage.

 

Pt. Vishwa Mohan Bhatt is Grammy award winner and Padma Bhushan 2017; playing his own discovered instrument called “Mohan Vina” also known as Slide Guitar along with world renowned Sitar MaestroPt. Krishna Mohan Bhatt and world renowned Saxophone artist Mr. George Brooks. Tabla will be accompanied by an excellent and talented Tabla Player Nihar Mehta.

 

So, we call it SANGAM – a confluence of Classical, Fusion and Folk Music.

 

We request you to please buy your tickets now by visiting:
http://events.sulekha.com/sangam-confluence-of-classical-fo…

 

OR by using PAYPAL – our PayPal id is: srujanashow@gmail.com

 

Please call in to check the availability and buy your tickets now. Our contact number is on flyer.

Newspaper and TV coverage of the 2nd award ceremony held by Joseph Macwan foundation on October 09, 2016. October 11, 2016

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
2 comments

Newspaper and TV coverage of the 2nd award ceremony held by Joseph Macwan foundation on October 09, 2016.

Please click on the image to watch DD TV coverage.

Please click on the image to watch DD TV coverage.

 

sg101016

humlog101016

db101016

gs101016

jmfoundation2ndevent2016

“Chalo Gujarat” fame AIANA launched “Aiana Cultural Club” and the very first program was held on September 10, 2016 October 1, 2016

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , ,
add a comment

અતિ લોકપ્રિય અને સફળ કાર્યક્રમ ‘ચાલો ગુજરાત’ ના આયોજક AIANA સંસ્થા દ્વારા ‘આઈના કલ્ચરલ કલબ’ શરુ કરેલ છે.

 

ક્લબ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ કાર્યક્રમ કરશે.

 

કાર્યક્રમોમાં કલાકારો અને સાહિત્યકારો ખાસ ભારતથી પધારશે. દરેક
કાર્યક્રમ સાત થી આઠ કલાકનો રહેશે અને સભ્યોને વિશીષ્ટ ડીનર અપાશે.

 

કલબનો પ્રથમ કાર્યક્રમ ‘મા, માતૃભૂમિ, અને માતૃભાષા’ ન્યુ બ્રૂનસ્વીકના નિકોલસ મ્યુઝીક સેન્ટર ખાતે સપ્ટેમ્બરની ૧૦ તારીખે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘રામલીલા’ ફેઈમ આસમાની ગાયક ઓસમાન મીર અને પ્રખ્યાત લેખક-વક્તા જય વસાવડાએ રંગ જમાવ્યો હતો. 

મેમ્બર થવા માટે AIANA નો CONTACT કરવો. Phone 732 545 7099732 545 7099 eMail: info@AIANAUSA.com

akila100116

ઓસમાન મીરને આ પહેલાં એક બે વખત સાંભળવાનો મોકો મળ્યો હતો પણ એમને ઘણો ઓછો સમય ફાળવવામાં આવેલો હોવાથી એમની વિશાળ ગાયકીના લાભથી વંચિત રહેવું પડેલું. પણ આ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમનો ભાર એમને જ સોંપી દેવાયો અને જે રંગત એમણે જમાવી એ અનુભવ આહલાદક હતો. “આઈના કલ્ચરલ ક્લબ” ના હોદ્દેદારો અને આયોજકોને અભિનંદન અને શુભકામના.

 

લગભગ સાત વરસ પહેલાં ઓસમાનનો અવાજ સાંભળેલો અને એની રજૂઆત ત્યારે આ બ્લોગ પર કરેલી. ફકત દિલની સફાઈ માંગે છે – કવિશ્રી કિરીટ ગોસ્વામી અને ગાયક ઓસમાન મીર. ચાલો ફરી વાગોળીએ………………..