jump to navigation

દેશના નિખિલ ભાવસાર – વલસાડ જિલ્લાનું ગૌરવ January 27, 2012

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , ,
11 comments

જાન્યુઆરીની ૧૬, તારીખે મારા નાના ભાઈને હિન્દ-રતન મળ્યાના આનંદના સમાચારમાં આપ સૌ મિત્રો સામેલ થયા હતા. આપ સૌ મિત્રોના અભિનંદન અને શુભેચ્છા માટે  હું અને મારું કુટુંબ આપના અભારી છીએ. એ પોસ્ટ દરમ્યાન એક બીજી પ્રતિભાનો પરિચય આપને કરાવેલો – દેશના નિખિલ ભાવસાર જેણે મારા ભાઈની કવિતાનું સ્વર નિયોજન-સંગીત નિયોજન કરી પોતાના સુમધુર સ્વરથી રેકોર્ડ કર્યું હતું. એ જ દેશનાને અભિનંદન સાથે આશિર્વાદ આપવાનું ટાણું આવ્યું છે.

સપ્તધારા ફેસ્ટીવલ ઝોનલ કક્ષાની સ્પર્ધા નવસારીમાં નારણલાલા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની દેશના નિખિલ ભાવસારે શાસ્ત્રીય સંગીત, હળવું કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાધ્યમાં તબલા તેમજ સોલોવાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લા તેમજ દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટ કોલેજ ઓફ એપ્લાયડ સાયન્સ વલસાડનું ગૌરવ વધાર્યું છે. આગામી ૩૦-૩૧ જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં દેશના ભાવસાર વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દેશના ભાવસારની રાજ્ય કક્ષામાં પસંદગી થતાં દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટના પરિવારે શુભેચ્છા પાઠવી છે.

(સૌજન્ય – દિવ્યભાસ્કર)  

મારા અને મારા કુટુંબ તરફથી દેશનાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે તે રાજ્ય કક્ષાએ પણ પોતાની કળાના કામણ પાથરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે. આપ પણ સાથે છો ને?

હિન્દ-રતન નો ખિતાબ શ્રી. કેતન ક્રિશ્ચિયનને (મારો નાનો ભાઈ) January 16, 2012

Posted by jagadishchristian in અવનવું, કવિતા, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
47 comments

એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન એવોર્ડ ૨૦૧૨ મેળવતો મારો નાનો ભાઈ કેતન ક્રિશ્રિયન.

કેતન ક્રિશ્ચિયન મારો નાનો ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને એના કાજે આનંદ સાથે હંમેશા ગૌરવ અનુભવ્યું છે. એને એનઆરાઅઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન નો ખિતાબ મળી રહ્યો છે ત્યારે ગર્વથી છાતી ગજ ગજ ફુલે છે. એને બાળપણથી કવિતા અને કથનીનો શોખ. પીજના નવાસવા એકમાત્ર દુરદર્શન પર એના લખેલા ગ્રામ્યલક્ષી નાટકો પ્રસારિત થતા હતા. એની કવિતાઓ મેગેઝિનમાં છપાતી હતી.

આજે એની કવિ પ્રતિભાનો પુરાવો આપવાનો આ એક મોકો લઉ છું. આ કવિતાને વાંચો અને સાંભળો પણ ખરા. આ કવિતાનો સંગીત-સંકેત રોબિનસન રાઠોડનો  છે અને જેનું સ્વરાંકન, સ્વર-નિયોજન અને સ્વર આપ્યો છે પ્રતિભાશાળી દેશના નિખિલ ભાવસારે.

હળવેથી!

હળવેથી કોણ ભરી દે મારાં સૂના નયનોને સાવ સુંવાળા સ્વપ્નોથી?

કોણ હસી દે સાવ કોમળ કોમળ મારાં શુષ્ક મુખેથી?

આવેગોની આ ઊંચી-નીચી અણધારી પાળેથી ઝૂકી ઝૂકીને

કોણ સ્પર્શી લે સાવ નજીક મારાં ધ્રૂજતા અંગોથી?

બેફામ બનીને ઉદ્ ભવતા ભાવોને પળમાં ચહેરે આમ મઢાવી

કોણ ચૂમી લે સાવ નશીલું મારા સળવળતા હોઠોથી?

આકાશની ઝૂકેલી છાયામાં સળવળતી લાખો આંખો માંહેથી

કોણ શ્વસી લે એકપ્રાણ બનીને મારા શ્વાસ-ઉચ્છવાસેથી?

ઊગી નીકળેલા ભીનાં રણનાં જોજન વચ્ચેથી

કોણ ઊગી લે ધબકાર થઈને મારા નાનાં હૈયેથી?

કવિ – કેતન ક્રિશ્ચિયન

સ્વરાંકન, સંગીત-નિયોજન અને સ્વર – દેશના નિખિલ ભાવસાર