Mr. Janak Desai – A poet who is embossing his poetry by wind. His book was published on September 18, 2016 September 19, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.Tags: કુમાર જેમિની શાસ્ત્રી, કૃષ્ણકાંત ઉનડકટ, જનક દેસાઈ, જ્યોતિ ભટ્ટ, ધૂની માંડલિયા, પ્રાર્થના જહા, ભાગ્યેશ જહા, મનીષ પાઠક, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, વિનય દવે, શ્રી. ચિનુ મોદી, હરદ્વાર ગોસ્વામી, Bhagyesh Jha, Chinu Modi, Dhooni Mandaliya, Divya Bhaskar, Hardwar Goswami, Janak Desai, Jyoti Bhatt, Krishnakant Unadkat, Kumar Jaimini Shastri, Manish Pathak, Prarthana Jha, Raksha Shukla, Ramesh Thakker, Vinay Dave
1 comment so far
Pictures by Mr. Manish Pathak
Congratulation to my friend and poet Mr. Janakbhai Desai for publishing two poetry books. September 9, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, જનક દેસાઈ
2 comments
અમેરિકાસ્થિત મારા સુહૃદજન અને કવિશ્રી. જનકભાઈ દેસાઈના બે કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા દર્શાવતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ બે પુસ્તકો એમના પરદેશમાં રહેવા છતાં માતૃભાષા પ્રત્યેની વંદનીય ભાવના સાથે એ ભાષાને ગૌરવપૂર્વક ધબકતી રાખવાના સફળ પ્રયત્નોનું પરિણામ અને પરિમાણ છે.
“હાથ મેં ઝાલ્યો પવનનો”
“આભ ખોલે વાંસળી”
સપ્ટેમ્બરની ૧૧ તારીખે “હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ”, રાજકોટ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર સમારોહમાં કવિ શ્રી. ભાગ્યેશ જહા (અધ્યક્ષ, ગુ.સા. અકાદમી, ગાંધીનગર) ના હસ્તે વિમોચન થશે. જનકભાઈની કાવ્ય-યાત્રા આજે એક મુકામ પર પહોંચી છે તેનો શ્રેય પંડને પરાણે મૂકી પોતાના મિત્રોને ફાળે નોંધાવે છે. આ પ્રસંગે તેઓ શ્રી. હર્ષિદા અને દીપક ત્રિવેદી, પારસ હેમાની અને રાકેશ હાંસલિયાના યોગદાન માટે વિશેષ આભારી છે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
સપ્ટેમ્બરની ૧૮ તારીખે “ગોવર્ધનસ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સાંજે ૪:૦૦ કલાલે યોજાનાર સમારોહમાં સુપ્રસિધ્ધ લેખક શ્રી. કૃષ્ણકાંત ઉનડકટ ના હસ્તે વિમોચન થશે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
આ ઉપરાંત એમની ભારત (ગુજરાત) યાત્રા દરમ્યાન તેઓએ ઘણાં સાહિત્યકારોની મુલાકત લીધી છે અને લેવાના છે. આ યાત્રા દરમ્યાન એમણે ઘણાં કવિ સંમેલનોમાં હાજરી આપી છે અને આપવાના છે. આજ પછી યોજાનારા કવિ સંમેલનની જે માહિતી મને ઉપલબ્ધ છે તેની જાણકારી નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
શ્રી. જનકભાઈ દેસાઈ જ્યારે પાછા અમેરિકાના ન્યુ જર્સી ખાતે પરત પધારશે ત્યારે અમેરિકાસ્થિત સાહિત્યરસિક અને મિત્રો એમને વધાવવા ઉત્સુક છે. અહીં આવ્યા પછીના કાર્યક્રમની માહિતી માટે હવે પછી જણાવીશ.