jump to navigation

કવિવર ઉમાશંકર જોષી નું પ્રભાવક ગીત: લૂ, જરી તું…. July 21, 2019

Posted by jagadishchristian in Uncategorized.
Tags: , , , , , , , , , ,
add a comment

આજે કવિવર શ્રી. ઉમાશંકર જોષી ની આજે ૧૦૮ મી જન્મજયંતી છે અને બે દિવસથી અહીં ગરમીનો પારો સો ની સપાટીને પાર કરી ગયો છે ત્યારે તેમનું એક કાવ્ય યાદ આવ્યું. મે મહિના ની સોળમી તારીખે મુંબઈ સમાચાર માં શ્રી. નંદિની ત્રિવેદી ની કોલમ “હૈયાને દરબાર” માં આ કાવ્ય વિષે વાંચેલું જે રજૂ કરું છું. આ લેખમાં ઉલ્લેખ કરાયેલો જુલાઈ ૨૦૧૦ નો પરબનો અંક પણ સામેલ કરું છું. અને સાથે સાથે આ ગીત નો વિડીયો પણ સામે છે. શ્રી. અમર ભટ્ટ નું સ્વરાંકન અને હિમાલી વ્યાસ નાયક ના સ્વરમાં સાંભળો.    

લૂ, જરી તું ધીરે ધીરે વા, કે મારો મોગરો વિલાય!

ગાંધીયુગના સર્જક, લેખક, વિવેચક, કવિ, નવલકથાકાર તથા સાહિત્યના સર્વોચ્ચ પુરસ્કાર જ્ઞાનપીઠ એવોર્ડથી સન્માનિત ઉમાશંકર જોશીનું વિપુલ સાહિત્યસર્જન આપણને અચંબિત કરી દે એટલું અગાધ છે. એક આયખામાં આટલું વ્યાપક ફલક! એમની સાથેના અમારાં સંસ્મરણો વિશેની એક અંગત વાત યાદ આવે છે. ઉમાશંકર જોશી, મારા પિતા જયન્ત પંડ્યા, લાભશંકર ઠાકર જેવા અનેક સાહિત્યકારો-લેખકોના ગુરુ.‌ સાહિત્યકારોની આખી એક પેઢી તૈયાર થઈ છે એમનાં હાથ નીચે. ગુજરાત યુનિવર્સિટીના ભાષા-સાહિત્ય ભવનમાં ગુજરાતી વિભાગના અધ્યક્ષ. ભણાવવાની શૈલી એટલી બધી રસપ્રદ કે એકેય વિદ્યાર્થી એમનો ક્લાસ બંક તો ન જ કરે પણ એમના પ્રભાવમાં વિસ્ફારિત આંખે એમને નિતાંત ચાહે અને સાંભળે.‌ એ પ્રભાવમાં જ મારું નામ ઉમાશંકર જોશીની દીકરી નંદિનીના નામ ઉપરથી મારા પિતાજીએ પાડ્યું હતું.

દાહોદમાં એક વાર જ્ઞાનસત્ર યોજાયું હતું. આયોજન જયન્ત પંડ્યા (મારા પિતાજી)એ કર્યું હતું. વડોદરાથી ઉમાશંકર જોશી, લાભશંકર ઠાકર, અન્ય સાહિત્યકારો સાથે મારાં માતા-પિતા અને બે વર્ષની હું, ટ્રેનમાં પ્રવાસ કરી રહ્યાં હતાં. તાવથી મારૂં શરીર ધીકતું હતું પણ તાવની લવારીમાંય ઈશાવાસ્યમ…ના શ્લોક મારે મોંઢેથી સરી રહ્યા હતા.‌ ઉમાશંકર જોશી આશ્ચર્યથી એ સાંભળી રહ્યા હતા. છેવટે એટલું જ બોલ્યા કે આટલી નાની વયે આવા સંસ્કાર કેટલાં બાળકોને મળતા હશે?

આ મહાકવિ સાથે એ રીતે મારો પ્રથમ પરિચય બે વર્ષની કુમળી વયે થયો હતો અને‌ સમયાંતરે પાંગરતો રહ્યો. છેલ્લે તો, ૧૯૯૦ની આસપાસ અમારી દીકરી ઈશાને રમાડવા સુરતનાં અમારા વાઈસ ચાન્સેલર્સ બંગલે આવ્યા હતા એ સ્મરણ કઈ રીતે ભૂલાય? આજના વર્ચ્યુઅલ વર્લ્ડમાં સંબંધો ફેસબુક અને વૉટ્સઍપ સુધી જ સીમિત થઈ ગયા છે ત્યારે આટલા મોટા કવિની સંબંધો સાચવવાની રીત ખરેખર આગવી હતી.

નાનપણથી જેમની કવિતાઓ સાથે અમારો ઉછેર થયો એ કવિ ઉમાશંકર જોશીનું એક હ્રદયસ્પર્શી ગીત લૂ, જરી તું ધીમે-ધીમે વા…સાંભળીને તરત જ એ વિશે લખવાની ઈચ્છા થઈ ગઈ.‌ ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા અને ગીત અમે ગોત્યું… જેટલું એ પ્રચલિત નથી પરંતુ, ચૂકાય એવું પણ નથી.‌ એમાંય આ ઋતુકાળમાં તો બરાબર બંધ બેસે છે.

તાજેતરમાં જ અમદાવાદના ધોમધખતા તાપનો આકરો મિજાજ જોઈ લીધો. લૂ કોને કહેવાય એ પરચોય મેળવી લીધો. ગુજરાતમાં નાનપણમાં થોડાંક વર્ષો વિતાવ્યા હતાં પરંતુ આવી ભયંકર ગરમીનો અહેસાસ ક્યારેય થયો ન હતો. ૪૫ ડીગ્રી તાપમાનમાં ભૂલેચૂકે બપોરે બહાર નીકળ્યાં તો ખલાસ! ચામડી તતડી જાય અને ગાત્રો શીથીલ થઇ જાય. દેશભરમાં આ હીટવૅવ પ્રસર્યો હોય ત્યારે વિરહની આગ અને આભમાંથી વરસતી આગને પ્રતિબિંબિત કરતું આ મધુર ગીત સાંભળીને ચંદનના લેપની અનુભૂતિ થયા વિના રહે નહીં. ગગનમાંથી અગનવર્ષા વરસતી હોય ત્યારેય કવિની કલમ‌ અટકતી નથી.‌ કવિ ફક્ત ચાંદની રાતની રોમેન્ટિક કવિતા જ સર્જે એવું નથી.‌ કવિહ્રદય કીડીથી માંડીને કમ્પ્યુટર સુધી કલ્પનાનો ચેતોવિસ્તાર કરી શકે છે.

આજનું ગીત કવિ શિરોમણી ઉમાશંકર જોશીએ બહુ સંવેદનાસભર લખ્યું છે. વાત ભલે એમાં આકરા ઉનાળાની છે પણ એની નજાકત તો જુઓ! લૂ જરી તું ધીમે-ધીમે વા કે મારો મોગરો વિલાય…! મોગરાનું સુગંધિત વ્યક્તિત્વ અને નજાકત નારીહ્રદયનો સંકેત આપે છે. આ ગીતના શબ્દો અને સ્વરાંકન એવાં સચોટ છે કે સાંભળતાં જ ઉનાળાનો તાપ વિસરાઇ જાય. આભમાંથી ધગધગતા અંગારા વરસતા હોય ત્યારે નાજુક-નમણી નારના કેશ પર ઝૂલતા મોગરાની શું વલે થાય એ તો બહુ સ્વાભાવિક કલ્પના છે. પરંતુ, વાત છે અહીં ‌વિરહાગ્નિની, પ્રતીક્ષાની, પ્રેમની અને પ્રિયતમની.

Click on the image to read

લાભશંકર ઠાકરે ઉ.જો.ની જન્મ શતાબ્દી નિમિત્તે ‘પરબ’માં એક લેખ લખ્યો હતો તેમાં આ ગીતની વાત માંડીને કરી હતી. તેમણે લખ્યું હતું કે, “લૂ પછી ગીતસર્જકે અલ્પવિરામ લીધો છે, તેથી ગાયકે અલ્પવિરામ લેવો અનિવાર્ય. આ અલ્પવિરામ નાટ્યાત્મકતાનો અનુભવ કરાવે છે. નાયિકા લૂ પર અટકે અને વિરામ એટલે કે સાયલન્સ સર્જાય. નાયિકાના અંતઃકરણમાં મોગરો પણ ભાવસંકેત દર્શાવે છે. આ ગીતરચના રંગમંચને પ્રત્યક્ષ કરે છે. ડ્રામેટિક રૂપ સાથે પ્રત્યક્ષ થતા ગીતના આરંભ પછી ગીતની લયાત્મક, સ્ટ્રકચરલ બ્યુટીમાં કેવું રૂપાંતર આવે છે તે ગીતના આ અંતરામાં દર્શાવ્યું છે‌ ;

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,

સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.

એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી…”

નાયિકા પોતે આભપંખીને અનુભવે છે. પાંખો છે પણ થંભાવી દીધી છે. ઉનાળાની નિ:સ્તબ્ધ, શાંત બપોરે આખી સૃષ્ટિ ઘેનમાં જંપી ગઈ છે ત્યારે નાયિકાના દિલની ધડકનનો લયબદ્ધ રવ એકમાત્ર પ્રિયતમ જ સાંભળી શકે ને! અપલક નેત્રે એ પ્રિયતમની પ્રતીક્ષામાં છે. અહીં વિરહિણીની એકલતા અને ઉત્કટ એવી પ્રિયતમની ઝંખનાની ક્ષણો પ્રત્યક્ષ થાય છે. તાપ કરતાં વિરહની આગથી એ તપી ગઈ છે.‌ એટલે જ પ્રિયતમની છાયા ઓઢીને જાતને શીતળતાનો અહેસાસ કરાવે છે. ઉત્કટ આશા અને અભિલાષા સાથે એ રાહ જુએ છે, વ્હાલમની.

આ ભાવવાહી ગીતના સંદર્ભમાં ઉમાશંકર જોશીનાં દીકરી સ્વાતિ જોશી કહે છે, “બાપુજીએ એટલું વિપુલ સર્જન કર્યું છે કે અત્યારે હું વિચારું તો મને એમ થાય કે આટલો સમય એમને ક્યાંથી મળતો હશે? પરંતુ, બાપુજીના મનમાં કવિતા સતત રમતી હોવાનું અમે અનુભવ્યું છે એટલે એ કોઈપણ સ્થળે, સમયે લખી શકતા. ખાસ તો રાત્રે અમે ઊંઘવાની તૈયારી કરતા હોઇએ ત્યારે એ ટેબલ પર બેસી લખવા માટે સજ્જ થઇ રહ્યા હોય. વિવિધ હોદ્દાઓ પર હોવાને લીધે એમને ટ્રેનમાં પ્રવાસ ખૂબ કરવો પડતો હતો તેથી એમની કેટલીય રચનાઓ ટ્રેનમાં લખાઈ છે. ‘મહાપ્રસ્થાન’ નામનું દીર્ઘકાવ્ય તો મને બરાબર યાદ છે કે અમે મારાં બાના અસ્થિ પધરાવવા ગંગોત્રી ગયાં હતાં ત્યારે ઘરે પરત આવ્યા પછી એમણે તરત તે વિશે લખ્યું હતું. એમનો પરિવાર એટલે અમે ચાર જ નહીં પણ એમના અસંખ્ય વિદ્યાર્થીઓ, મિત્રો અને શુભેચ્છકો બધાં જ. આ બધાં અમારે ત્યાં અવારનવાર આવીને રહે. શિક્ષકના ઘરે જઈને વિદ્યાર્થી રહે એ વાતની તો આજના જમાનામાં કલ્પનાય ન થઈ શકે. મૂળ મુદ્દે એમને જીવનમાં જ ખૂબ રસ હતો તેથી જ એ સાહિત્યમાં આટલું બધું ખેડાણ કરી શક્યા એવું મને લાગે છે.”

વ્યવસાયે એડવોકેટ પરંતુ, સંગીતમાં ખૂંપી ગયેલા આ ગીતના સ્વરકાર અમર ભટ્ટ કહે છે, “ઉમાશંકર જોશીના જન્મશતાબ્દિ વર્ષ 2011માં ’પરબ’નો આખો અંક એમનાં કાવ્યોના આસ્વાદનો હતો. કવિ લાભશંકર ઠાકરે એમાં આ ગીતને ઉ.જો.નું એક પ્રભાવક ગીત કહ્યું હતું. ત્યારથી આ ગીત સ્વરબદ્ધ કરવાની અદમ્ય ઈચ્છા હતી. કવિની શબ્દ પસંદગી ગમી ગઈ. પ્રથમ પંક્તિમાં ‘ધીરે ધીરે’ લૂની ગતિ માટે અને બીજીમાં ‘ધીમે ધીમે‘ કોયલના અવાજ માટે – ‘ધીરે ધીરે’ અને ‘ધીમે ધીમે’માં આમ ફેર નથી, છતાં શું ફેર છે એનું આ ઉદાહરણ છે. આમ તો ભર ગરમીના બપોરે પ્રિયતમની રાહ જોતી સ્ત્રીની ઉક્તિ છે એમાં. કવિએ ચિત્ર આપ્યું છે –

‘ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા’.

પ્રથમ પંક્તિ અનાયાસ સ્વરબદ્ધ થઇ. સ્થાયીમાં રાગ ચારુકેશીના સ્વરો છે. કોમળ નિષાદથી ગીત શરૂ થાય છે એમાં ’લૂ’ને સંબોધન છે એ અનુભવી શકાશે. બીજી પંક્તિમાં એ જ સ્વરમાં ‘કોકિલા’ને સંબોધન છે એ કહેવાની જરૂર નથી.

‘ધીરે ધીરે’ પંચમથી અને ’ધીમે ધીમે’ તાર સપ્તકના ષડજથી સ્વરસંગતિ કરે છે. ‘વા‘ અને ‘ગા’ પણ કેટલી જુદી જુદી રીતે ગાઈ શકાય છે તે ગીત સાંભળો તો જ જાણી શકો. ઉમાશંકર જોશીનાં કાવ્યગાનના અમારા આલબમ ’ગીતગંગોત્રી’માં આ ગીત હિમાલી વ્યાસ-નાયકે ભાવવાહી રીતે ગાયું છે. હવે તો એ ખાસ્સું લોકપ્રિય થયું છે.”

હિમાલીનું પણ આ પ્રિય ગીત છે. “ઉમાશંકર જોશીના જન્મ શતાબ્દિ વર્ષ નિમિત્તે જ આ ગીત કમ્પોઝ થયું હતું. આ સર્વાધિક સુંદર ગીત ગાવાની તક મને મળી એ મારું અહોભાગ્ય છે. અમદાવાદમાં તો એટલું બધું લોકપ્રિય થયું છે કે ત્યાંના દરેક કાર્યક્રમમાં એની ફરમાઇશ આવે જ અને વન્સ મોર થાય. અમરભાઇની કમ્પોઝ કરવાની શૈલી પણ એવી છે કે દરેક શબ્દ ઉઘાડીને ગાવાનો. તેથી ગાવાની ખૂબ મઝા આવે છે. આવાં ઉત્તમ ગીતો ગુજરાતી પ્રજા સુધી વધુ ને વધુ પહોંચવા જોઈએ.”

વાત તદ્દન સાચી છે. ગુજરાતી ભાષામાં ખૂબ ઉત્કૃષ્ટ કવિતાઓ લખાય છે અને સ્વરબધ્ધ થાય છે. આપણે ગુજરાતીઓએ એ સાંભળવા માટે ફક્ત કાન કેળવવાની જરૂર છે. આ ગીત મળે તો જરૂર સાંભળજો. કદાચ આંખમાંથી આંસુ ટપકે, ચારુકેશીના વિરહી સ્વરો છે. પરંતુ, ગરમીના આકરા મિજાજમાં એ મોરપીંછની હળવાશ અને સુંવાળપ આપશે એની ગૅરંટી.

*****

લૂ, જરી તું ધીરે ધીરે વા,

કે મારો મોગરો વિલાય!

કોકિલા, તું ધીમે ધીમે ગા,

કે મારો જીયરો દુભાય!

પાંખો થંભાવી ઊભું સ્થિર આભપંખી,

સૃષ્ટિ મધ્યાહ્ન કેરા ઘેનમાં છે જંપી.

એકલી અહીં હું રહી પ્રિયતમને ઝંખી…

ધખતો એ ધોમ, ધીકે ધરણીની કાયાઃ

ઊભી છું ઓઢીને પ્રિયતમની છાયા,

પરિમલ ઊડે, ન ફૂલ હૈયે સમાયાં…

કવિ : ઉમાશંકર જોશી

સંગીતકાર : અમર ભટ્ટ

ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

This is a test to see if this post automatically published on Facebook page April 23, 2019

Posted by jagadishchristian in Uncategorized.
add a comment

This is a test to see if this post automatically published on Facebook page

Srujana along with TV Asia present “Masti Ki Pathshala” Aishwarya Majmudar. August 16, 2017

Posted by jagadishchristian in Uncategorized.
add a comment
Dear Friends,
This year after two successful program “SANGAM” and “YUHPURUSH” Srujana is proudly presenting Masti Ki Pathshala – Aishwarya Majmudar live in concert.
Place: TV Asia Auditorium, 76 National Road, Edison, NJ 08817
Saturday, August 19, 2017 8:00PM
Tickets will be available at the venue 7:00 to 8:00PM
$35.00 per person with light refreshment.  
Aishwarya-Shrujana2017

Srujana is proud to host and present along with GLOFNA and TVASIA, one of the best and most watched PLAY: YUGPURUSH July 28, 2017

Posted by jagadishchristian in Uncategorized.
add a comment

Dear Friends: Don’t miss this show! Limited seats, first come first served bases. Srujana LLC is hosting this event along with GLOFNA and TV Asia!

We are looking for sponsors from $250/- to $1000/- .

Srujana along with GLOFNA and TVASIA, is proud to host and present one of the best and most watched PLAY:

YUGPURUSH – મહાત્મા નાં મહાત્મા!!!

(In Gujarati)

Date: August 6, 2017

Time: 5:00 pm

Note: Light dinner will be served

Location: Tagor Hall, 269 Cedar Grove Ln, Somerset, NJ

Yugpurush

jajajjaa

SANGAM – Confluence of Classical, Folk and Fusion Music by Srujana on Thursday, May 25, 2017 May 19, 2017

Posted by jagadishchristian in સંગીત, Uncategorized.
Tags: , , , , , , , ,
add a comment

Sangam-Srujana Show052517

Dear Friends,

Team SRUJANA has organized an Excellent and Rare Combination of Great Musicians team First Time Together On Stage.

 

Pt. Vishwa Mohan Bhatt is Grammy award winner and Padma Bhushan 2017; playing his own discovered instrument called “Mohan Vina” also known as Slide Guitar along with world renowned Sitar MaestroPt. Krishna Mohan Bhatt and world renowned Saxophone artist Mr. George Brooks. Tabla will be accompanied by an excellent and talented Tabla Player Nihar Mehta.

 

So, we call it SANGAM – a confluence of Classical, Fusion and Folk Music.

 

We request you to please buy your tickets now by visiting:
http://events.sulekha.com/sangam-confluence-of-classical-fo…

 

OR by using PAYPAL – our PayPal id is: srujanashow@gmail.com

 

Please call in to check the availability and buy your tickets now. Our contact number is on flyer.

મારા બ્લોગના વર્ષ ૨૦૧૦ ના લેખાં-જોખાં January 3, 2011

Posted by jagadishchristian in અવનવું, સમાચાર-હેવાલ, Uncategorized.
Tags: , , ,
3 comments

The stats helper monkeys at WordPress.com mulled over how this blog did in 2010, and here’s a high level summary of its overall blog health:

Healthy blog!

The Blog-Health-o-Meter™ reads Wow.

Crunchy numbers

Featured image

A Boeing 747-400 passenger jet can hold 416 passengers. This blog was viewed about 12,000 times in 2010. That’s about 29 full 747s.

In 2010, there were 34 new posts, growing the total archive of this blog to 66 posts. There were 52 pictures uploaded, taking up a total of 36mb. That’s about 4 pictures per month.

The busiest day of the year was November 9th with 293 views. The most popular post that day was અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ..

Where did they come from?

The top referring sites in 2010 were mail.yahoo.com, mail.live.com, mysite.verizon.net, gu.wordpress.com, and WordPress Dashboard.

Some visitors came searching, mostly for મહાત્મા ગાંધી, સત્યના પ્રયોગો, pointing finger, સ્કેટીંગ, and નકશા.

Attractions in 2010

These are the posts and pages that got the most views in 2010.

1

અમારા દાંપત્ય જીવનની રજતજયંતિ! ક્લેરા અને જગદીશ. November 2010
41 comments and 4 Likes on WordPress.com

2

મહાત્મા ગાંધી – સત્યના પ્રયોગો October 2009
4 comments

3

સાહિત્યકાર શ્રી. જોસેફ મેકવાનનું નિધન – માર્ચ ૨૮, ૨૦૧૦. March 2010
43 comments

4

Renunciation of Indian Citizenship and Obtaining Surrender Certificate May 2010
1 comment

5

મારો પરિચય May 2009
31 comments

ફકત દિલની સફાઈ માગે છે – કિરીટ ગોસ્વામી – ઓસમાન મીર September 19, 2009

Posted by jagadishchristian in કવિતા, સંગીત, સમાચાર-હેવાલ, Uncategorized.
Tags: , , , , ,
8 comments

છેલ્લાં થોડા વર્ષોથી ફેબ્રુઆરી મહિનામાં અમદાવાદમાં “સમન્વય” અને “ગુજરાત સમાચાર” ના સહયોગથી “કાવ્યસંગીત સમારોહ” નું આયોજન કરવામાં આવે છે. ગુજરાતી ભાષાના ખ્યાતનામ કવિઓ, સ્વરકારો, ગાયકો અને સાહિત્યકારો એમાં પોતાની કળા પીરસે છે. ત્રણ દિવસ ચાલતા આ મહોત્સવ રૂબરૂ માણવાનું સૌભાગ્ય હજુ સુધી મળ્યું નથી પણ એની સીડી આવવાની આતૂરતા પૂર્વક રાહ જોતો હોઉં છું. ફેબ્રુઆરી ૨૦૦૮ માં થયેલા કાર્યક્રમની સીડી હમણાં થોડા મહિના પહેલા મળી. આ વખતે પહેલા નહીં આવેલા રૂમકુમાર રાઠોડ-સોનાલી રાઠોડ હતા અને થોડા નવા અવાજ સાંભળવા મળ્યા. નવા અવાજમાં એક પ્રતિભાશાળી અવાજ મને ઘણો ગમી ગયો, શ્રી. ઓસમાન મીર. એમણે ત્રણ ગીત રજૂ કરેલાં અને ત્રણે ગીત લાજવાબ ગાયા છે. એમના વિષે વધારે જાણકારી મેળવવાનો પ્રયત્ન કરતો હતો તો આજે એમની એક વિડીયો YOU TUBE પર મળી ગઈ. જે અહીં રજૂ કરું છું. મને ખાતરી છે કે તમને ગમશે. આ ગુજરાતી ગઝલ શ્રી. કિરીટ ગોસ્વામી ની છે.

ફકત દિલની સફાઈ માગે છે

પ્રેમ ક્યાં પંડિતાઈ માગે છે.

આંખને ઓળખાણ છે કાફી

લાગણી ક્યાં ખરાઈ માગે છે.

જોઈએ સુખ બધાંને પોતીકાં

કોણ પીડા પરાઈ માગે છે.

એક ઝાંખીજ એમની ઝંખે

દિલ બીજું ન કાંઈ માગે છે.

–          કિરીટ ગોસ્વામી

હવે આ વિડીયો તો જોઈ લીધી પણ આજ ગીત સીડીમાં સાંભળ્યું હતું તે તમને સંભળાવવાનો મોહ છોડી શકતો નથી. તો સાંભળો…….