PATHAR THAR THAR DHRUJE – કવિશ્રી. નિરંજન ભગત ના શબ્દો સૂર-સ્વર-સંગીત સાથે – ગુર્જરવાણી. June 27, 2019
Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.Tags: Amar Bhatt, અમર ભટ્ટ, ઈમુ દેસાઈ, ગુર્જરવાણી, નિરંજન ભગત, પથ્થર થર થર ધ્રૂજે, Emu Desai, Gurjarvani, Niranjan Bhagat, Pathar Thar Thar Dhruje
add a comment
ઘણા ગુજરાતી કવિઓએ બાઇબલના કેટલાક પ્રસંગો અને બોધવાક્યો લઈને ગુજરાતી કવિતાની રચના કરી છે જેમાંથી ઘણી ભજન તરીકે અને થોડી કવિતા તરીકે વખણાઈ છે. એમાંની શ્રી. નિરંજન ભગતની એક રચનાને ગુર્જરવાણી દ્વારા તાજેતરમાં મ્યુજિક વિડિયો તરીકે પ્રસ્તુત કરી છે.
પ્રસ્તુત – ગુર્જરવાણી
શબ્દ રચના – કવિ શ્રી. નિરંજન ભગત
સ્વરાંકન – શ્રી. ઈમુ દેસાઈ
સ્વર – હ્રદય દેસાઈ
સમીક્ષા લેખન – શ્રી. યોસેફ મેકવાન
સમીક્ષા વાંચક – મમતા દેસાઈ
પ્રા. સિલાસ પટેલિયા ની કલમે લખાયેલો આ કવિતાનો આસ્વાદ “દૂત” માસિકના જૂન ૨૦૧૪ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરો અને પીડિએફ ફોર્મેટમાં વાંચો.
કવિશ્રી ની બીજી ઘણી રચનાઓ પઠન કે સ્વરંકન સાથે – સાંભળો શ્રી. અમર ભટ્ટને
સંગીતકાર શ્રી ઈમુ દેસાઈ અને તેમના પરિવાર વિષે વધુ જાણકારી મારે જુઓ નીચેનો વિડિયો. ભાગ-૧ અને ભાગ-૨.
કવિશ્રી. નિરંજન ભગત વિષે વધુ માહિતી માટે નીચેનો વિડિયો જુઓ.
બાઇબલના આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને મેં પણ એક અછાંદસ કવિતા લખી હતી તે અહીં રજૂ કરવાનો મોહ છોડી શકતો નથી. તો માણો…….
હક્ક પહેલા પથ્થરનો!!!
નૂતન વર્ષનો
સૂરજ તો ઊગ્યો પૂર્વે!
સાયરન…
પોલીસ અને એમ્બ્યુલન્સ,
શું થયું? શું થયું?
બીજું એક મર્ડર?
લાશશશશ…!!!
કુતૂહલ!!!
ચર્ચા, અફ્વાઓ…
મર્યો કે માર્યો?
ડાહ્યો હતો કે દોઢડાહ્યો?
દેતો’તો વણમાગી સલાહ લોકોને,
હક્ક નથી તમને.
નિષ્પાપ ઉપાડે પથ્થર,
જો હોય તો!
દોષીત હસે છે…
ટોળું આખુંય સજીવન …………….
ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…
તું ઈસુ નથી!
અને હોય તોય શું?
હું તો બદલાઈ ગયો છું,
વ્યભિચારી બાઈ હું નથી!
એ ટોળામાં સામેલ હું નથી!
મારી પાસે પથ્થર નથી!
મારી પાસે
બન્ધૂક છે!
એ કે 47 છે!
મિસાઇલ છે!
બોંબ છે!
આત્મહત્યાની તાલિમ છે!
આતંકવાદની તાલિમ છે!
– જગદીશ ક્રિશ્ચિયન
“Chalo Gujarat” fame AIANA launched “Aiana Cultural Club” and the very first program was held on September 10, 2016 October 1, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત, સમાચાર-હેવાલ.Tags: Aiana, Aiana Cultural Club, Akila, અકિલા, આઈના કલ્ચરલ ક્લબ, ઓસમાન મીર, જય વસાવડા, Jay Vasavada, Nicholas Music Center, Osman Mir
add a comment
અતિ લોકપ્રિય અને સફળ કાર્યક્રમ ‘ચાલો ગુજરાત’ ના આયોજક AIANA સંસ્થા દ્વારા ‘આઈના કલ્ચરલ કલબ’ શરુ કરેલ છે.
ક્લબ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ કાર્યક્રમ કરશે.
કાર્યક્રમોમાં કલાકારો અને સાહિત્યકારો ખાસ ભારતથી પધારશે. દરેક…
કાર્યક્રમ સાત થી આઠ કલાકનો રહેશે અને સભ્યોને વિશીષ્ટ ડીનર અપાશે.
કલબનો પ્રથમ કાર્યક્રમ ‘મા, માતૃભૂમિ, અને માતૃભાષા’ ન્યુ બ્રૂનસ્વીકના નિકોલસ મ્યુઝીક સેન્ટર ખાતે સપ્ટેમ્બરની ૧૦ તારીખે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘રામલીલા’ ફેઈમ આસમાની ગાયક ઓસમાન મીર અને પ્રખ્યાત લેખક-વક્તા જય વસાવડાએ રંગ જમાવ્યો હતો.
મેમ્બર થવા માટે AIANA નો CONTACT કરવો. Phone 732 545 7099732 545 7099 eMail: info@AIANAUSA.com
ઓસમાન મીરને આ પહેલાં એક બે વખત સાંભળવાનો મોકો મળ્યો હતો પણ એમને ઘણો ઓછો સમય ફાળવવામાં આવેલો હોવાથી એમની વિશાળ ગાયકીના લાભથી વંચિત રહેવું પડેલું. પણ આ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમનો ભાર એમને જ સોંપી દેવાયો અને જે રંગત એમણે જમાવી એ અનુભવ આહલાદક હતો. “આઈના કલ્ચરલ ક્લબ” ના હોદ્દેદારો અને આયોજકોને અભિનંદન અને શુભકામના.
લગભગ સાત વરસ પહેલાં ઓસમાનનો અવાજ સાંભળેલો અને એની રજૂઆત ત્યારે આ બ્લોગ પર કરેલી. ફકત દિલની સફાઈ માંગે છે – કવિશ્રી કિરીટ ગોસ્વામી અને ગાયક ઓસમાન મીર. ચાલો ફરી વાગોળીએ………………..
Mr. Janak Desai – A poet who is embossing his poetry by wind. His book was published on September 18, 2016 September 19, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.Tags: કુમાર જેમિની શાસ્ત્રી, કૃષ્ણકાંત ઉનડકટ, જનક દેસાઈ, જ્યોતિ ભટ્ટ, ધૂની માંડલિયા, પ્રાર્થના જહા, ભાગ્યેશ જહા, મનીષ પાઠક, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, વિનય દવે, શ્રી. ચિનુ મોદી, હરદ્વાર ગોસ્વામી, Bhagyesh Jha, Chinu Modi, Dhooni Mandaliya, Divya Bhaskar, Hardwar Goswami, Janak Desai, Jyoti Bhatt, Krishnakant Unadkat, Kumar Jaimini Shastri, Manish Pathak, Prarthana Jha, Raksha Shukla, Ramesh Thakker, Vinay Dave
1 comment so far
Pictures by Mr. Manish Pathak
Congratulation to my friend and poet Mr. Janakbhai Desai for publishing two poetry books. September 9, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, જનક દેસાઈ
2 comments
અમેરિકાસ્થિત મારા સુહૃદજન અને કવિશ્રી. જનકભાઈ દેસાઈના બે કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા દર્શાવતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ બે પુસ્તકો એમના પરદેશમાં રહેવા છતાં માતૃભાષા પ્રત્યેની વંદનીય ભાવના સાથે એ ભાષાને ગૌરવપૂર્વક ધબકતી રાખવાના સફળ પ્રયત્નોનું પરિણામ અને પરિમાણ છે.
“હાથ મેં ઝાલ્યો પવનનો”
“આભ ખોલે વાંસળી”
સપ્ટેમ્બરની ૧૧ તારીખે “હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ”, રાજકોટ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર સમારોહમાં કવિ શ્રી. ભાગ્યેશ જહા (અધ્યક્ષ, ગુ.સા. અકાદમી, ગાંધીનગર) ના હસ્તે વિમોચન થશે. જનકભાઈની કાવ્ય-યાત્રા આજે એક મુકામ પર પહોંચી છે તેનો શ્રેય પંડને પરાણે મૂકી પોતાના મિત્રોને ફાળે નોંધાવે છે. આ પ્રસંગે તેઓ શ્રી. હર્ષિદા અને દીપક ત્રિવેદી, પારસ હેમાની અને રાકેશ હાંસલિયાના યોગદાન માટે વિશેષ આભારી છે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
સપ્ટેમ્બરની ૧૮ તારીખે “ગોવર્ધનસ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સાંજે ૪:૦૦ કલાલે યોજાનાર સમારોહમાં સુપ્રસિધ્ધ લેખક શ્રી. કૃષ્ણકાંત ઉનડકટ ના હસ્તે વિમોચન થશે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
આ ઉપરાંત એમની ભારત (ગુજરાત) યાત્રા દરમ્યાન તેઓએ ઘણાં સાહિત્યકારોની મુલાકત લીધી છે અને લેવાના છે. આ યાત્રા દરમ્યાન એમણે ઘણાં કવિ સંમેલનોમાં હાજરી આપી છે અને આપવાના છે. આજ પછી યોજાનારા કવિ સંમેલનની જે માહિતી મને ઉપલબ્ધ છે તેની જાણકારી નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
શ્રી. જનકભાઈ દેસાઈ જ્યારે પાછા અમેરિકાના ન્યુ જર્સી ખાતે પરત પધારશે ત્યારે અમેરિકાસ્થિત સાહિત્યરસિક અને મિત્રો એમને વધાવવા ઉત્સુક છે. અહીં આવ્યા પછીના કાર્યક્રમની માહિતી માટે હવે પછી જણાવીશ.
આપનો આભાર અને ફરી મળીશું – જગદીશ ક્રિશ્ચિયન – September 09, 2016.
“સૂરસફર” ની યાદગાર સફળતા બાદ “સૃજના” યોજે છે “શબ્દસંગત” – શ્રી. કૃષ્ણ દવે સાથે ગીત-ગઝલની મસ્તીભરી સાંજ November 20, 2014
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ.Tags: કૃષ્ણ દવે, ગુજરાત ફાઉન્ડેશન, શબ્દસંગત, સૃજના, Gujarat Foundation, Krushna Dave, Shabdsangat, Srujnaa
add a comment
We would like to bring a superb end to our shows for the year 2014 by presenting a unique “Shabd Sangat” with our own Mr. Krushna Dave.
Cordially we invite you to attend a special evening “Shabda Sangat” with a well known Poet Mr. Krushna Dave from Gujarat, India along with our home grown creative Poets. Please try to bring all Family members, Friends and support this event at your best. Details are given in this flyer, if you need to have more details please feel free to ask any of these contact number.
Hope to receive wonderful support from all of you.
જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪. સાઠ દિન કે સાઠ વરસ – શરૂઆત કે…… August 29, 2014
Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.Tags: જગદીશ ક્રિશ્ચિયન
2 comments
મિત્રો,
કાલે મારો ૫૯ મો જન્મ દિવસ છે. એક મુકામ તરફનું પ્રયાણ છે. આમ તો મજાનો માદ હોય પણ હવે સાઠે પહોંચવાની ચિંતા પણ હોય એ સ્વાભાવિક છે એવું મારું માનવું છે. આજે જ એક ગઝલ ના.. ના.. હઝલ નો અયોગ બન્યો તો લખાઈ ગઈ. આશા છે આપને ગમશે.
સાઠમાં પ્રવેશ!
ઉજવાય છે આજે જુઓ મારો જનમ દિન તાનમાં!
દાખલ થયો છું આજથી મારા વરસ આ સાઠમાં!
સાઠે એતો નાઠી એવી કહેવત ઘણી ચર્ચાય છે,
કોને ખબર મારી હશે બુદ્ધિ યથાવત સાથમાં!
છે પાનખર બેઠી મથાડે આમ તો વરસો થયાં,
બદલાણ કેરી રાહ હું જોયા કરું છું ખામખાં!
સોડા અને આચર-કુચર ખાતો નથી દસકો થયો,
પડતો નથી તો પણ તફાવત એજ મારી ફાંદમાં!
ધોળાં થયાં છે વાળ સૌ માથે અને બીજે બધે,
પખવાડિયે કાળો કલર કરતો રહું છું વાળમાં!
“જગદીશ” તારા આયખાની છે ઉપજ તો એટલી,
ભેગી કરી સંભાળથી યાદો બધી લે બાથમાં!
જગદીશ ક્રિશ્ચિયન – જન્મ દિવસની પૂર્વ સંધ્યાએ – ઓગસ્ટ ૨૯, ૨૦૧૪.
છંદવિધાન: ગાગાલગા ગાગાલગા ગાગાલગા ગાગાલગા
આદમથી ઓબામા સુધી! February 17, 2014
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.Tags: આદમથી ઓબામા સુધી!
2 comments
આદમથી ઓબમા સુધી!
ફળ ખાવું ના ખાવું મૂંઝવણ આદમથી ઓબામા સુધી! વિચલિત થઈ ખાધા નું ભારણ આદમથી ઓબામા સુધી રાજા હો કે ઘરનો રામો સૌ છે સરખા જોગી ભોગી જીવનમાં આવે છે અડચણ આદમથી ઓબામા સુધી આમ જુઓ તો નમણું નાજુક દિલ તો પાગલ છાનું માનું ખોવાતું વીના કોઈ કારણ આદમથી ઓબામા સુધી શૂળી પર લટકાવી ખીલા ઠોકે છે સૌ રોજ ઈસુને તો પણ કરતો આવ્યો તારણ આદમથી ઓબામા સુધી માંહી પડ્યા તે મ્હાસુખ માણે દેખણહારા દાઝે જોને સદીઓથી સરખું બંધારણ આદમથી ઓબામા સુધી અપરાધી કે આતંકવાદી દસ મારો દસ થાય ઊભા સારા નરસાની અથડામણ આદમથી ઓબામા સુધી ચાહો સૌને ખુદની માફક ‘જગદીશે’ તો કહ્યું સહુને ધરતા કાને કોણ શિખામણ આદમથી ઓબામા સુધી?
જગદીશ ક્રિશ્ચિયન ડિસેમ્બર ૨૦૧૩
છંદવિધાન – ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા ગાગાગાગા
નવા વરસની નવી રીત, જૂની વાત! January 1, 2014
Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા.Tags: જૂની વાત!, નવા વરસની નવી રીત
4 comments
મિત્રો સૌને નવા વરસની સલામ. નવું વર્ષ નવી ઉષ્મા અને નવી દિશા લઈને આવે એવી અભ્યર્થના!
નવા વરસની નવી રીત, જૂની વાત!
વરસ નવું છે!
વર્તન નવું છે?
જુની એ શીશીમાં
જોબન નવું છે?
!
આંખો જૂની છે
વાતો પુરાણી
લાગે છે તાજી
વલણ નવું છે?
!
આખે જ આખો
બદલાઈ ગયો છું!
હતું એજ છે કે
નાટક નવું છે?
!
કરતો રહ્યો છું
પ્રતીક્ષા તમારી
વરસોથી આમ જ
એમાં કશું નવું છે?
!
જગદીશ ક્રિશ્રિયન – જાન્યુઆરી 01, 2013
શકાય છે! June 17, 2013
Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા.Tags: કવિતા, ગઝલ, જગદીશ ક્રિશ્ચિયન, ghazal, Jagadish Christian
11 comments
મિત્રો,
ઘણા સમય પછી આજે એક નવી ગઝલ લઈને આવ્યો છું. જીવનમાં ક્યારેક એક સમય એવો પણ આવે છે જ્યારે સાહિત્ય લક્ષી વિચારનો અભાવ સતાવતો હોય છે. એમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહ્યો છું. આપના સહકારની અપેક્ષા સહ…..
ગુજરાત દર્પણ સાહિત્ય સભા – શ્રી. ચંદ્રકાંત દેસાઈ ના બે પુસ્તકોનું વિમોચન – સપ્ટેમ્બર ૧૬ ૨૦૧૨ September 18, 2012
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.Tags: કૌશિક અમીન, ગુજરત દર્પણ, ડો. શરદ ઠાકર, શ્રી. ધીરુભાઈ પરીખ
9 comments