jump to navigation

નિંદા! June 28, 2010

Posted by jagadishchristian in કવિતા, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , ,
21 comments

Image from web

નિંદા!

ઊભો રહ્યો વર્ષોથી સાચવતો બહેરો, મૂંગો, અબોલ!
હસતા મુખે!
ના ફરિયાદ!
તાપ-તડકો વરસાદ વેઠ્યાં!
હિમ ઠરી ઠામ!
આંબો કાપ્યો, આસોપાલવ ને મહુડોય
ખોદી નાંખ્યાં ખેતર!
મોરનો ટહુકો અને કોયલની કૂક
એમ.પી.થ્રી થઈ ગુંજે છે…
ટેનામેન્ટના વાતાનુકૂલિત ખંડમાં!
સલ્ફેટિયાં હાઇબ્રીડ ઘઉં ચોખા અને બીજું બધુંય!
પચાવવા ચવનપ્રાશ!
હાર્ટબર્ન માટે ઝેન્ટેક!
મારા હ્રદયમાં તું…
હાર્ટ-ટ્રાન્સપ્લાન્ટ! 
પ્લાસ્ટિકીયા તોરણ અને બ્લેક લેબલ!
દ્વાર પર દરવાન આતંકવાદની રાહ જોતો!
પણ ઊભો છે બીતો અધખુલ્લી આંખે
લઠ્ઠાથી લદાયેલો!
સ્ટોકમાર્કેટમાં ગેસ પાતાળથી આકાશ પર
ને બધા તારા ધૂંધળા!
દૂધનો પાઉડર અને મેન્ગો પલ્પ…
બદામ ખાઈ ઇન્ટરનેટ પર ખાંગાં-ખોણું!
ચંગીઝખાન, હિટલર, ઓસામા?
રીસાયકલ યાર્ડમાં પડેલો છું
હજુય!
હું ચાડિયો કોઈ ચાડી કર્યા વગર!
– જગદીશ ક્રિશ્ચિયન – જૂન ૨૦૧૦

ચાડિયા વિષે થોડી પંક્તિઓ (શેર)

ખેતર વચ્ચે ઊભો ચાડિયો હજીય સાચવે નાતો
સંભળાવે છે સીમ આખ્ખીની લીલીછમ વાતો !
– લાલજી કાનપરિયા

ચાડિયો દેખીને પથ્થર ચૂગવા માંડે,
છૂટતા ગોફણથી પથ્થર ચણ બનાવીએ.
– દત્તાત્રય ભટ્ટ

પંખીઓ આવી ખભા પર બેઠા,
ચાડિયો આજ અચંબામાં છે.
– ભાવેશ ભટ્ટ

ચાડિયાના કારણે એક ખેડૂતને જેલ જવું પડેલું. વાંચવા માટે ક્લિક અહીં કરો. 

ન શોધ! June 21, 2010

Posted by jagadishchristian in કવિતા, ગઝલ, મારી કવિતા, વિચાર-મંથન.
Tags: , , , , , ,
21 comments

Picture from web

ન શોધ!


આકાશનો છેડો ન શોધ
અવકાશનો ગાળો ન શોધ

પડકાર તો મળશે અનેક
કારણ તણો કેડો ન શોધ

નાકામ કે આંબી જવાય
મંઝિલ થકી તાળો ન શોધ

આભાસ તો રણમાં થશે જ
મૃગજળ તરસ રેલો ન શોધ

મોતી મળે સાગર તળે જ
કૂદી જ પડ આરો ન શોધ  

થંભી ગયું તોફાન, બાંધ
નોખો, જુનો માળો ન શોધ

“જગદીશ” ધોખા છે હમેશ
નવનીત તું નેડો ન શોધ 
– જગદીશ ક્રિશ્ચિયન – મે ૨૦૧૦
છંદ વિધાન – ગાગાલગા ગાગાલગા (લ)

સર્જકો સાથે સાંજ – ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકા June 7, 2010

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ, ગુજરાતી સાહિત્યકાર, મારી કવિતા, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
21 comments
જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

જગદીશ ક્રિશ્ચિયન શ્રી. ચિનુ મોદી સાથે

રવિવાર જૂનની ૬ તારીખે ગુજરાતી લિટરરી એકેડેમી ઓફ નોર્થ અમેરિકાના ઉપક્રમે “સર્જકો સાંજે સાંજ” કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સુપ્રસિધ્ધ કવિ ગઝલકાર અને નાટ્યકાર શ્રી. ચિનુ મોદી “ઇર્શાદ” મુખ્ય અતિથિ તરીકે હાજર હતા અને તેમણે સ્થાનિક સર્જકોએ રજૂ કરેલી કૃતિઓની સમીક્ષા આપી હતી. કાર્યક્રમનું સંચાલન અમારા ન્યુ જર્સીના જાણીતા હાસ્યરસિક સાહિત્યકાર શ્રી. હરનિશ જાનીએ કર્યું હતું. કાર્યક્રમમાં બાર સ્થાનિક સર્જકોએ પોતાની ગદ્ય-પદ્ય રચનાઓ રજૂ કરી હતી. સૌથી પહેલાં મેં મારી એક ગઝલ રજૂ કરી હતી. બીજા સર્જકોમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ, ડૉક્ટર નીલેશ રાણા, શ્રી. વિરાફ કાપડિયા, મોના નાયક “ઊર્મિસાગર”, શ્રીમતી હંસા જાની, શ્રી. પવિણ પટેલ “શશી”, શ્રીમતી બિસ્મિલ મન્સુરી, શ્રી. રોહિત પંડ્યા, ચિરાગ પટેલ રચના ઉપાધ્યાય અને શ્રી. અશોક વિધવાંશ અને શ્રી. હરનિશ જાનીએ પોતાની રચનાઓ રજૂ કરી હતી.

શ્રી. ચિનુ મોદીની સૂચના પ્રમાણે મારી ગઝલ સુધારી છે તથા એક શેર પણ ઉમેર્યો છે. જે હાઈલાઈટ કરેલ છે. આ ગઝલ ડિસેમ્બરમાં આજ બ્લોગ પર મૂકી હતી.

હોય છે!

આંસુ હર્ષનું હોય કે દુઃખનું મારું જ હોય છે
સ્વાદ ચાખો કે ન ચાખો એ ખારું જ હોય છે

આભ આખું હો સફાચટ ને કોરી ધરા ય પણ
માવઠું આવે છતાં એ અણધારું જ હોય છે 

આંખને વળગણ, જુએ સોનેરી સોણલા ભલે
પૂર્ણ થાવું કે ન એ તો પરભારું જ હોય છે

રેલના પૈડાં ભલે બંને હો અલગ પાટ પર
ચાલવું કે દોડવું તો સહિયારું જ હોય છે

તેજ એ ભરપૂર આપે છે દીવો જગત ભરે
તોય એ દીવા તળે તો અંધારું જ હોય છે

આમ તો મિત્રો ઘણાં દુશ્મન પણ એટલા જ છે
આવશે જો મોત એ તો નોંધારું જ હોય છે

જીવતાં શાયદ મળે ના છો ‘જગદીશ’ નામના
કબર ને કબ્રસ્તાન શણગાર્યું સારું જ હોય છે
-જગદીશ ક્રિશ્ચિયન  જૂન ૦૭ ૨૦૧૦

છંદ વિધાનઃ ગાલગાગા ગાલગાગા ગાગાગાલ ગાલગા

કાર્યક્રમના અંતે એકેડેમીના પ્રમુખ શ્રી. રામ ગઢવીએ સ્વર્ણિમ ગુજરાતની ઉજવણીના એક ભાગ તરીકે યોજાનાર એક કાર્યક્રમની જાહેરાત કરી હતી. પૂજ્ય શ્રી. મોરારી બાપુની સાત દિવસની કથા એડિસન ન્યુ જર્સી ખાતે આવેલા એક્ષ્પો સેંટરમાં યોજવામાં આવી છે. જુલાઈની ૩-૧૧ સુધી ચાલનાર આ કથા દરમ્યાન સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. વધુ માહિતી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Fees for Obtaining Surrender / Renunciation Certificate Waived June 1, 2010

Posted by jagadishchristian in કાર્યક્રમ, વિચાર-મંથન, સમાચાર-હેવાલ.
Tags: , ,
4 comments

Dear Friends,

I am pleased to share this wonderful news that the fees & penalties are being waived for renouncing Indian citizenship and obtaining surrender certificate.

“In view of a large number of representations received from Persons of Indian Origin, it has been decided that the fees for obtaining Renunciation/Surrender Certificate from applicants who have acquired US citizenships before June 1, 2010 will be waived.  However, a miscellaneous service fee of US$ 20/- will be charged for surrender of passport for cancellation.  No penalties will be charged.  Already decided cases will, however, not be reopened.

Indian passport holders who acquire US/foreign citizenships on or after June 1, 2010 will, however, be required to pay the fees of US$ 175/- for obtaining Renunciation/Surrender certificate.”

Click here for the breaking news.

The effort of all the Indian Americans has paid off.

In view of this new change Federation of Indian Association has cancelled the peace rally scheduled for June 4th 2010.