jump to navigation

A gift on this year Navratri – “Akahand Garbo” from Rathin Mehta, Himali & Chitan Nayak. September 27, 2019

Posted by jagadishchristian in સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , ,
add a comment

A gift on this year Navratri – “Akahand Garbo” from Rathin Mehta, Himali & Chitan Nayak.

PATHAR THAR THAR DHRUJE – કવિશ્રી. નિરંજન ભગત ના શબ્દો સૂર-સ્વર-સંગીત સાથે – ગુર્જરવાણી. June 27, 2019

Posted by jagadishchristian in કવિતા, ગુજરાતી સાહિત્યકાર, સંગીત.
Tags: , , , , , , , , ,
add a comment

ઘણા ગુજરાતી કવિઓએ બાઇબલના કેટલાક પ્રસંગો અને બોધવાક્યો લઈને ગુજરાતી કવિતાની રચના કરી છે જેમાંથી ઘણી ભજન તરીકે અને થોડી કવિતા તરીકે વખણાઈ છે. એમાંની શ્રી. નિરંજન ભગતની એક રચનાને ગુર્જરવાણી દ્વારા તાજેતરમાં મ્યુજિક વિડિયો તરીકે પ્રસ્તુત કરી છે.

પ્રસ્તુત – ગુર્જરવાણી

શબ્દ રચના – કવિ શ્રી. નિરંજન ભગત

સ્વરાંકન – શ્રી. ઈમુ દેસાઈ

સ્વર – હ્રદય દેસાઈ

સમીક્ષા લેખન – શ્રી. યોસેફ મેકવાન

સમીક્ષા વાંચક – મમતા દેસાઈ

Niranjan Bhagat

પ્રા. સિલાસ પટેલિયા ની કલમે લખાયેલો આ કવિતાનો આસ્વાદ “દૂત” માસિકના જૂન ૨૦૧૪ના અંકમાં પ્રકાશિત થયો હતો. એ આસ્વાદ માણવા માટે અહીં ક્લિક કરો અને પીડિએફ ફોર્મેટમાં વાંચો.

 

કવિશ્રી ની બીજી ઘણી રચનાઓ પઠન કે સ્વરંકન સાથે – સાંભળો શ્રી. અમર ભટ્ટને
સંગીતકાર શ્રી ઈમુ દેસાઈ અને તેમના પરિવાર વિષે વધુ જાણકારી મારે જુઓ નીચેનો વિડિયો. ભાગ-૧ અને ભાગ-૨.


કવિશ્રી. નિરંજન ભગત વિષે વધુ માહિતી માટે નીચેનો વિડિયો જુઓ.

બાઇબલના આ જ પ્રસંગને ધ્યાનમાં રાખીને મેં પણ એક અછાંદસ કવિતા લખી હતી તે અહીં રજૂ કરવાનો મોહ છોડી શકતો નથી. તો માણો…….
હક્ક પહેલા પથ્થરનો!!!
નૂતન વર્ષનો
સૂરજ તો ઊગ્યો પૂર્વે!
સાયરન…
પોલીસ અને એમ્બ્યુલન્સ,
શું થયું? શું થયું?
બીજું એક મર્ડર?
લાશશશશ…!!!
કુતૂહલ!!!
ચર્ચા, અફ્વાઓ…
મર્યો કે માર્યો?
ડાહ્યો હતો કે દોઢડાહ્યો?
દેતો’તો વણમાગી સલાહ લોકોને,
હક્ક નથી તમને.
નિષ્પાપ ઉપાડે પથ્થર,
જો હોય તો!
દોષીત હસે છે…
ટોળું આખુંય સજીવન …………….
ને લાશ છે ડાહ્યાની… દોઢડાહ્યાની…
તું ઈસુ નથી!
અને હોય તોય શું?
હું તો બદલાઈ ગયો છું,
વ્યભિચારી બાઈ હું નથી!
એ ટોળામાં સામેલ હું નથી!
મારી પાસે પથ્થર નથી!
મારી પાસે
બન્ધૂક છે!
એ કે 47 છે!
મિસાઇલ છે!
બોંબ છે!
આત્મહત્યાની તાલિમ છે!
આતંકવાદની તાલિમ છે!
– જગદીશ ક્રિશ્ચિયન

શબ્દ, સંગીત અને સૂર-સ્વર નો સમાગમ – चाँद से लिपटी हुइ सेी रात है पर तु नहीँ…. April 23, 2019

Posted by jagadishchristian in ગઝલ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , ,
add a comment

જુલાઈ ૧૮, ૨૦૧૦ ના દિવસે “સમન્વય – રથીન મહેતા અને ઓસમાન મીર” નામે એક લેખ અહીં પ્રકાશિત કરેલો. અમદાવાદ ખાતે ૨૦૧૦ ના કાવ્યસંગીત સમારોહ દરમ્યાન રથીનનાં સ્વરાંકન શ્રી. ઓસમાન મીર, ઐશ્વર્યા મજમુદાર, સોનિક સુથાર, પ્રહર વોરા ના સ્વરમાં રજૂ કરવામાં આવ્યા હતાં. એપ્રિલ ૧૮, ૨૦૧૯ ના મુંંબઈ સમાચાર ના લાડકી મેેેગેજીનમાં હૈયાનેે દરબાર નામની કોલમમાંં શ્રી. નંદિની ત્રિવેદીએ આ શબ્દ, સ્વરાંકન અને સૂર-સ્વરનો મહિમા રજૂ કર્યો છે. 

જલસોના ૧૦૦ મા એપિસોડ દરમ્યાન હિમાલી-વ્યાસ-નાયકે આ ગઝલની રજૂઆત કરેલી એ વિડિયો પણ નીચે છે જે જોવાનું, સાંભળવાનું રખે ચૂકતા…… (જલસો ના સૌજન્ય થકી…)

જો વાંચવામાં તકલીફ પડે તો અહીં ક્લિક કરી PDF ફોર્મેટમાં વાંચી શકાશો….

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહી
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

ગઝલનો ઉઘાડ હિન્દી-ઉર્દૂ અંદાજમાં અને બીજી જ પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એવો પ્રયોગ માત્ર ગુજરાતી ભાષામાંં જ થયો હોવાની સંભાવના છે. પછી તો આ ગઝલ રાગેશ્રી-બાગેશ્રીનો હાથ ઝાલીને રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે

મુંબઈ સમાચાર – લાડકી – હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી

ચૈત્રી બપોરની દાહકતામાં લીલુંછમ ડિપ્રેશન પજવી રહ્યું હોય અથવા નિ:સ્તબ્ધ ચાંદની રાતે સ્મરણોએ મન પર કબજો લઇ લીધો હોય ત્યારે ગઝલ યાદ આવે છે. ગઝલ સાંભળવી એ મારે માટે જાતને મળવાનો અવસર છે. આંસુની સાથે બધાં દુઃખો વહાવી દઈને સાવ હળવા અને નિર્ભાર થઈ જવાનો પ્રયાસ એટલે ગઝલ. યોગાનુયોગે આજે પૂનમ છે. તપ્ત તન-મન પર ચાંદની સુંવાળો લેપ કરશે. પરંતુ, વિરહી નાયિકાનું મન તો યાદોમાં ખોવાયેલું છે. એના વ્યાકુળ હ્રદયમાંથી શબ્દો સરી પડે છે…

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ, પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી…

વાહ, ક્યા બાત હૈ! કેવો સરસ શેર, એ પણ બાયલિન્ગ્યુઅલ એટલે કે દ્વિભાષી! આવો પ્રયોગ અન્ય ભાષામાં થયો હોય એવું મારા ધ્યાનમાં નથી. ગઝલ એ બહુ નાજુક કાવ્યપ્રકાર છે. એની વ્યાખ્યા ભલે પરમેશ્વર અથવા તો પ્રિયતમા સાથેની વાતચીત હોય પરંતુ, ખરેખર તો જાત સાથેનો જ સંવાદ હોય છે.‌ ગઝલ સાંભળતી વખતે આપણે જ આપણી જાતને એમાં ઓગાળી દેતાં હોઈએ છીએ. તાજેતરમાં ગુજરાતી ભાષાની પ્રથમ હરોળની ગાયિકા હિમાલી વ્યાસ-નાયકના કંઠે ભગવતીકુમાર શર્મા લિખિત આ અદભુત ગઝલ સાંભળી ત્યારથી મન પર હાવી થઈ ગઈ છે.

ગીત, ગઝલ, ભજન, સોનેટ અને ગદ્યકાવ્ય જેવાં વિવિધ સ્વરૂપોને ખેડનારા કવિ ભગવતીકુમાર શર્મા આ ગઝલમાં એમના વ્યક્તિત્વમાં જોવા મળે એવી કોમળતા અને ઋજુતા લઈને આવ્યા છે. ભગવતીભાઇએ ગઝલમાં અવનવા પ્રયોગો કર્યા છે. એમણે ક્યારેક આખે આખો શેર અંગ્રેજીમાં આપ્યો છે જેમકે આઈ ફીડ માય વર્ડ્ઝ ટુ કમ્પ્યુટરાઈઝ્ડ વર્લ્ડ.‌ હિન્દી-વ્રજ અને ઉર્દૂનો પ્રયોગ કરીને એમણે લખ્યું છે;

જબ સે ગયે હૈ છોડ કે સાજન બિદેસવા, કજરી સૂની સૂની, સુમસામ નેજવાં…!
દ્વિરુક્તિની એમની આ અર્થસભર ગઝલ વાંચો ;
અક્ષર બક્ષર કાગળ બાગળ શબ્દો બબ્દો
પરપોટે બરપોટે ક્યાંથી દરીયો બરીયો?
કલમ બલમ ને ગઝલ બઝલ સૌ અગડમ્ બગડમ્
અર્થ બર્થ સૌ વ્યર્થ ભાવ તો ડોબો બોબો
ભગવતીભાઈની ગઝલો પરંપરા, સમકાલીનતા અને આધુનિકતાના ત્રિભેટે ઊભેલી છે.

ગઝલના શેરોમાં પ્રેમ, પ્રેમમાં એકરાર-ઇનકાર, પ્રણય મુગ્ધતા, નિષ્ફળતા, પ્રિય પાત્ર દ્વારા ઉપેક્ષા, વેદના, અસહાયતા, પીડા, અધ્યાત્મ, ચિંતન જેવા અનેક વિષયો વણાયેલા હોય છે જે મનુષ્યની જિંદગી સાથે કોઈક ને કોઈક રીતે જોડાયેલા છે. એટલે જ કદાચ સાહિત્યમાં ગઝલનું સ્વરૂપ આટલી બધી લોકપ્રિયતાને વર્યું છે. ગઝલ કંઈ એમ જ નથી લખાઈ જતી. એમાં લાઘવ, ઊંડી દાર્શનિકતા જોઈએ, મૌલિક અભિવ્યક્તિ અને સુંવાળું હૃદય પણ જોઈએ. ગઝલ એ વસંતઋતુનો ગુલઝાર છે તો પાનખરનો પર્ણપાતી મિજાજ. હિમ પ્રદેશનો હૂંફાળો તડકો છે તો રૂપા મઢેલ રાત્રીની રંગીનીયત. ભગવતીકુમાર શર્માની ગઝલો પાસે જઈએ તો એમાં કલાઈડોસ્કોપિક રંગછટાઓ જોવા મળે.‌

આ ગઝલ મને સ્પર્શી ગઈ એનું કારણ છે સ્વરાંકન. ખૂબ જ મીઠી અને હ્રદયસ્પર્શી આ ગઝલ સાંભળી ત્યારે ખબર નહોતી કે આ સ્વરાંકન અમેરિકાસ્થિત રથિન મહેતાનું છે.‌ અમેરિકામાં ‘ચલો ગુજરાત’ દ્વારા આખું ગુજરાત ખડું કરનાર સ્થાપકોમાંના એક વ્યક્તિ તથા સંગીતચાહક તરીકે એમનું નામ બેશક સાંભળ્યું હતું પરંતુ, એ ગુજરાતી ગીતો સ્વરબદ્ધ કરે છે એ ખબર બહુ મોડી પડી. વ્યવસાયે બાયોટેક કન્સલ્ટન્ટ રથિન મહેતા માત્ર સંગીતના ચાહક, ઉપાસક જ નહીં, પ્રસારક પણ છે. અમેરિકામાં રહીને ગરબા, સુગમ તથા શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને યથોચિત ઉજાગર કરે છે. સંગીતની વિધિવત્ તાલીમ ન હોવા છતાં ઉત્તમ સ્વરાંકન કરે છે જેનો તાદ્રશ નમૂનો છે આ ગઝલ. ઉ. ગુલામ અલી સાહેબની ગાયકીની યાદ અપાવે એવી આ ગઝલનો ઉપાડ જ ઉર્દૂ અંદાજમાં છે. પછી તો રાગ બાગેશ્રી-રાગેશ્રીનો હાથ ઝાલીને આ ગઝલ રાતની રાણીની જેમ મદમસ્ત મ્હાલે છે. પરાકાષ્ઠાએ આહિર ભૈરવના સૂર મનમાં એવા જડબેસલાક બેસી જાય કે વારંવાર આ ગઝલ સાંભળ્યાં કરવાની ઈચ્છા થાય.

“આ સ્વરાંકન નિપજ્યું કેવી રીતે?” રથિનભાઈ ઉત્સાહપૂર્વક વાતની માંડણી કરે છે.

“મા-બાપે થિયેટર, મ્યુઝિક અને લિટરેચરનું સંપૂર્ણ વાતાવરણ ઘરમાં જ પૂરું પાડ્યું હતું. હું વ્યાવસાયિક કે તાલીમ પામેલો સંગીતકાર નથી પરંતુ, જરૂર કહી શકું કે મારી ‘સેલ્ફ લર્ન્ડ મ્યુઝિશિયન’ બનવાની પ્રક્રિયા નિષ્ઠાપૂર્વક ચાલુ છે. ગુજરાતી સુગમ સંગીતના સુપ્રસિદ્ધ કલાકારો રાસબિહારી દેસાઇ અને વિભા દેસાઇ મારાં મામા-મામી થાય એટલે નાનપણથી જ ઘરમાં સુગમસંગીતનો માહોલ હતો.‌ આદરણીય પુરુષોત્તમ ઉપાધ્યાય, આશિત-હેમા દેસાઇ, પરેશ ભટ્ટ, શ્યામલ-સૌમિલ મુનશી, નયનેશ જાની અને મારા ગુરુ નયન પંચોલીની ઉત્કૃષ્ટ રચનાઓ સાંભળીને જ મોટો થયો છું.‌ મારા પિતા કશ્યપ મહેતાનો નાટ્ય કલાકારો સાથે ઘરોબો રહ્યો હોવાથી આઇએનટીના લગભગ બધાં નાટકો મેં જોયાં છે અને એ થિયેટર પ્રેમનો મારી સંગીતસર્જન પ્રક્રિયા પર ઊંડો પ્રભાવ છે. કવિતા હું એવી પસંદ કરૂં જેમાં દ્રશ્ય હોય, તેથી મારી સર્જનપ્રક્રિયા આસાન થઈ જાય. સાચું પૂછો તો જેમાં આખું ચિત્ર ખડું થતું હોય એવી કવિતા સામેથી જ મારી પાસે આવે અને સ્વરાંકન પોતે જ એના રંગ, મૂડ, તાલ પોતાની રીતે શોધી લે છે. હું અને કવિતા અમે બંને હાર્મોનિયમના હાઇવે ઉપર સાથે ચાલીએ અને કવિતા મને સૂરના સરનામે પહોંચાડે. ચાંદ સે લિપટી…ગઝલ સ્વરબદ્ધ કરવાનો અનુભવ એ રીતે અનોખો હતો કે એની એક લાઈન હિન્દીમાં અને બીજી ગુજરાતીમાં. મારે માટે ચેલેન્જ એ હતી કે હિન્દી લાઈન મારે હિન્દી કે ઉર્દૂ ફોર્મેટમાં અને ગુજરાતી પંક્તિ ગુજરાતી ગઝલના રૂઆબમાં ચાલે એ રીતે સ્વરબદ્ધ કરવી હતી.‌ ગઝલ પોતે જ એટલી મુખર અથવા તો સમજાઈ જાય એવી સરળ હતી કે સહજતાથી હું એમાં સંગીતના રંગો પૂરી શક્યો.‌ આ ગઝલ સૌપ્રથમ 2010માં રાસબિહારી દેસાઈએ કેનેડામાં ગાઈ હતી અને પહેલા જ પ્રયોગમાં વન્સમોર થઈ હતી. ત્યારબાદ ઓસમાન મીરે એને વધુ લોકપ્રિય બનાવી અને હવે તો યુવા કલાકારો હિમાલી વ્યાસ, આલાપ દેસાઈ, પ્રહર વોરા ઇત્યાદિ ઘણી કોન્સર્ટમાં ખૂબ સરસ રીતે ગાય છે.‌ સુગમ સંગીતની નવી પેઢીમાં આલાપ દેસાઈના સર્જનથી હું ખૂબ પ્રભાવિત છું. ખાસ કરીને એમનાં સ્વરાંકનો અને અરેન્જમેન્ટમાંથી મને ઘણી પ્રેરણા મળે છે.”

હિમાલી વ્યાસ-નાયક ગુજરાતી સહિત અનેક સંગીતપ્રકારો સહજતાથી ગાનાર કલાકાર છે તથા દરેક સ્વરાંકનના મૂળને વળગીને પોતાની અમેઝિંગ ગાયન શૈલી દ્વારા ગીતને બહેલાવી શકે છે.

ચાર વર્ષની વયથી હિન્દુસ્તાની ક્લાસિકલ મ્યૂઝિક શીખનાર હિમાલીએ લંડનની ટ્રિનિટી કોલેજમાંથી પાશ્ચાત્ય સંગીતની તાલીમ લીધી છે તથા છેલ્લાં ૧૫ વર્ષથી દેશવિદેશમાં વૈવિધ્યપૂર્ણ સંગીત કાર્યક્રમો આપે છે.‌ ૧૨થી વધુ ગુજરાતી ફિલ્મોમાં કંઠ આપનાર હિમાલીએ અત્યારે ચાલી રહેલી ફિલ્મ ‘કાચિંડો’માં દિવિજ નાયક સાથે ઊડી ઊડી… નામનું સરસ ડ્યુએટ ગાયું છે. આ ગઝલ વિશે હિમાલી કહે છે, “૨૦૧૫માં ‘ગ્લોરિયસ‌ ગુજરાત’માં હું અમેરિકા ગઈ હતી ત્યારે રથિનભાઈ પાસે હું આ ગઝલ શીખી હતી. શીખ્યા બાદ તરત જ બીજે મહિને અમદાવાદમાં પૂજ્ય મોરારીબાપુના ‘ગઝલ સપ્તાહ’ કાર્યક્રમનું આયોજન થયું જેમાં પહેલી વાર મેં રજૂ કરી અને ખૂબ ચાહના પામી હતી. રથિન મહેતા ગિફ્ટેડ કમ્પોઝર છે.‌ વિરહના ભાવની આ ગઝલનો છેલ્લો શેર, હૈ ઝમીં બંજર… એમણે અરેબિક અને ઈન્ડિયન ક્લાસિકલનો અદ્ભુત સ્પર્શ આપીને સ્વરબદ્ધ કર્યો છે જે મારો સૌથી પ્રિય શેર છે.‌ દરેક શેર અલગ અને મુક્ત રીતે ખૂલે છે. કવિએ શેરની શરૂઆત ક્યાંક હિન્દીમાં કરી છે તો ક્યાંક ગુજરાતીમાં. ઓસમાન મીરે ગાયાં પછી ગુજરાતના‌ યુથ ફેસ્ટિવલમાં પણ હવે આ ગઝલ ખૂબ ગવાય છે.” વાહ, આફરીન આફરીન!

આ ગઝલના રચયિતા ભગવતીકુમાર શર્માએ સાત મહિના પહેલાં જ આપણી વચ્ચેથી વિદાય લીધી છે.‌ પરંતુ એમની કવયિત્રી દીકરી રીના મહેતા ભગવતીભાઈની સર્જન પ્રક્રિયા અને મૃદુ સ્વભાવ વિશે મુંબઈ સમાચારના વાચકો સાથે સરસ વાતો શેર કરે છે.‌ “લેખનની શરૂઆત કરી ત્યારથી જ મારા પિતાજીનો ગઝલ પ્રેમ વ્યક્ત થઈ ગયો હતો. એમના આરંભિક સંઘર્ષકાળમાં તથા અંતિમ સમયે ગઝલે જ એમને જીવતા રાખ્યા હતા. 11 કાવ્યસંગ્રહો તથા પુરસ્કૃત નવલકથાઓ વચ્ચે શેર-શાયરી તો એમના મનમાંથી સાવ સહજ પણે ફૂટી નીકળતા.‌ આજની ગઝલ લગભગ સિત્તેરના દાયકાની છે, એ વખતે હું ખૂબ નાની હતી પરંતુ એમના પાછલાં વર્ષોમાં હું એમની સર્જન પ્રક્રિયાની સાક્ષી રહી છું. આંખની જન્મજાત તકલીફ હોવા છતાં એમણે સતત શબ્દ સાથે જ રહેવાનું પસંદ કર્યું હતું.‌ એમનું મગજ એટલું બધું સતર્ક રહેતું કે જીવનના આખરી તબક્કામાં દ્રષ્ટિ લગભગ ગુમાવી ચૂક્યા હોવા છતાં ટેબલ ઉપર કાગળ અને પેન તો હોય જ અને જ્યારે જે શેર કે કવિતા મગજમાં આવે એ એમાં ટપકાવી લે, બેશક, એમને દેખાતું તો ન જ હોય એટલે એક શેરની ઉપર બીજો શેર લખાઈ જાય.‌ ક્યારેક બોલપેનની શાહી સુકાઈ ગઈ હોય ત્યારે એમને તો ખ્યાલ જ ના આવે કે પાના ઉપર શબ્દો લખાઈ રહ્યા નથી.‌ એટલે કોરા ને કોરા પાનાં ઘણી વાર પ્રેસમાં જાય.‌ ત્યારપછી ફરીથી લખવાની તથા બધું રિ-રાઈટ કરવાની મહેનત હું કરું. બીજાને આ બધી તકલીફ ઉઠાવવી પડે એનો એમને ઘણો જ રંજ રહેતો પરંતુ એ હંમેશા કહેતા કે શબ્દ વિના મારું અસ્તિત્વ છે જ નહીં. લખું નહીં તો સાવ નકામો થઈ જાઉં!”

આવા પ્રતિબદ્ધ સાહિત્યકાર, રણજિતરામ સુવર્ણચંદ્રક વિજેતા, પુરસ્કૃત નવલકથાઓ ‘ઊર્ધ્વમૂલ’, ‘અસૂર્યલોક’ના રચયિતા ભગવતીકુમાર શર્મા સાહિત્યના આકાશમાં આજીવન સૂરજની જેમ ઝળહળતા રહ્યા. ગઝલ ક્ષેત્રે એમનું માતબર પ્રદાન છે. આજની ગઝલ જોકે ભગવતીભાઈની અન્ય ગઝલોની તુલનાએ પ્રમાણમાં સરળ છે.‌‌ પરંતુ સુંદર સ્વરાંકન તથા મિશ્ર ગઝલ હોવાને લીધે એની સાહિત્યિક મહત્તા વધી જાય છે.‌ એમની આ ગઝલનો શેર સાંભળો ;

અધ:માં છું ને ઊર્ધ્વે પહોંચવું છે
તળેટીથીયે શિખરે પહોંચવું છે
કોઈ રીતે સમીપે પહોંચવું છે
‘હું’-’તું’-‘તે’ ના અભેદે પહોંચવું છે…!

તેમની આ પઝલગઝલ, અઢી અક્ષરનું ચોમાસું, ને બે અક્ષરના અમે; ખોટ પડી અડધા અક્ષરની, સજન, પૂરજો તમે! તો એટલી લોકપ્રિય છે કે ચોમાસું બેસતાં જ સોશિયલ મીડિયા ઉપર ફરવા માંડે છે.‌

આમ, એ રીતે વિચારીએ તો આપણી ભાષામાં શું સમૃદ્ધ ગીત-ગઝલ રચાયાં છે અને ગવાયાં છે! આ પ્રકારના પ્રયોગો ખરેખર નવી પેઢીને ગુજરાતી સંગીત તરફ આકર્ષી શકે છે. બસ, એમણે આપણું જ ગુજરાતી-ગર્વીલુ સંગીત સાંભળવાની તત્પરતા બતાવવાની જરૂર છે.

*****

ચાંદ સે લિપટી હુઈ સી રાત હૈ પર તૂ નહીં
ફૂલના હોઠે ય તારી વાત છે, પણ તું નથી

આપણાં બન્નેનાં અશ્રુઓ અલગ ક્યાંથી પડે
હર તરફ બરસાત હી બરસાત હૈ, પર તૂ નહીં

મૌસમ-એ-બારિશ મેં કશ્તી કો ડૂબોના ચાહિએ
પત્રરૂપે તરતાં પારિજાત છે, પણ તું નથી

હૈ ઝમીં બંજર મગર યાદોં કિ હરિયાલી ભી હૈ
પાનખરમાં રણ બન્યું રળિયાત છે, પણ તું નથી

બોજ આહોં કા અકેલા મૈં ઉઠા સકતા નહીં
ચોતરફ વીંઝાય ઝંઝાવાત છે, પણ તું નથી

કવિ : ભગવતીકુમાર શર્મા
સંગીતકાર : રથિન મહેતા
ગાયિકા : હિમાલી વ્યાસ-નાયક

SANGAM – Confluence of Classical, Folk and Fusion Music by Srujana on Thursday, May 25, 2017 May 19, 2017

Posted by jagadishchristian in સંગીત, Uncategorized.
Tags: , , , , , , , ,
add a comment

Sangam-Srujana Show052517

Dear Friends,

Team SRUJANA has organized an Excellent and Rare Combination of Great Musicians team First Time Together On Stage.

 

Pt. Vishwa Mohan Bhatt is Grammy award winner and Padma Bhushan 2017; playing his own discovered instrument called “Mohan Vina” also known as Slide Guitar along with world renowned Sitar MaestroPt. Krishna Mohan Bhatt and world renowned Saxophone artist Mr. George Brooks. Tabla will be accompanied by an excellent and talented Tabla Player Nihar Mehta.

 

So, we call it SANGAM – a confluence of Classical, Fusion and Folk Music.

 

We request you to please buy your tickets now by visiting:
http://events.sulekha.com/sangam-confluence-of-classical-fo…

 

OR by using PAYPAL – our PayPal id is: srujanashow@gmail.com

 

Please call in to check the availability and buy your tickets now. Our contact number is on flyer.

“Chalo Gujarat” fame AIANA launched “Aiana Cultural Club” and the very first program was held on September 10, 2016 October 1, 2016

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , ,
add a comment

અતિ લોકપ્રિય અને સફળ કાર્યક્રમ ‘ચાલો ગુજરાત’ ના આયોજક AIANA સંસ્થા દ્વારા ‘આઈના કલ્ચરલ કલબ’ શરુ કરેલ છે.

 

ક્લબ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ કાર્યક્રમ કરશે.

 

કાર્યક્રમોમાં કલાકારો અને સાહિત્યકારો ખાસ ભારતથી પધારશે. દરેક
કાર્યક્રમ સાત થી આઠ કલાકનો રહેશે અને સભ્યોને વિશીષ્ટ ડીનર અપાશે.

 

કલબનો પ્રથમ કાર્યક્રમ ‘મા, માતૃભૂમિ, અને માતૃભાષા’ ન્યુ બ્રૂનસ્વીકના નિકોલસ મ્યુઝીક સેન્ટર ખાતે સપ્ટેમ્બરની ૧૦ તારીખે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘રામલીલા’ ફેઈમ આસમાની ગાયક ઓસમાન મીર અને પ્રખ્યાત લેખક-વક્તા જય વસાવડાએ રંગ જમાવ્યો હતો. 

મેમ્બર થવા માટે AIANA નો CONTACT કરવો. Phone 732 545 7099732 545 7099 eMail: info@AIANAUSA.com

akila100116

ઓસમાન મીરને આ પહેલાં એક બે વખત સાંભળવાનો મોકો મળ્યો હતો પણ એમને ઘણો ઓછો સમય ફાળવવામાં આવેલો હોવાથી એમની વિશાળ ગાયકીના લાભથી વંચિત રહેવું પડેલું. પણ આ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમનો ભાર એમને જ સોંપી દેવાયો અને જે રંગત એમણે જમાવી એ અનુભવ આહલાદક હતો. “આઈના કલ્ચરલ ક્લબ” ના હોદ્દેદારો અને આયોજકોને અભિનંદન અને શુભકામના.

 

લગભગ સાત વરસ પહેલાં ઓસમાનનો અવાજ સાંભળેલો અને એની રજૂઆત ત્યારે આ બ્લોગ પર કરેલી. ફકત દિલની સફાઈ માંગે છે – કવિશ્રી કિરીટ ગોસ્વામી અને ગાયક ઓસમાન મીર. ચાલો ફરી વાગોળીએ………………..   

“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 28, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગઝલ, સંગીત.
Tags: , , ,
add a comment

પ્રિય મિત્રો,

 

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.

 

FinalNayanPancholi

 

તારીખ: શનિવાર, ઑગસ્ટ ૧૬, ૨૦૧૪

 

સમય: સાંજના ૮ વાગે

 

સ્થળ: ટીવી એશિયા ઓડિટોરિયમ
૭૬ નેશનલ રોડ, એડિસન, ન્યુ જર્સી

 

પ્રવેશ ફી: ફક્ત ડોલર – $8.00

 

તો જરૂર આવો અને આપના મિત્ર સગાં સંબંધીઓને પણ જણાવજો અને લેતા આવજો.

“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 1, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: ,
1 comment so far

પ્રિય મિત્રો,

 

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે. સ્થળ, તારીખ, સમય અને પ્રવેશ ફી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કાર્યક્રામ શુક્રવાર, જુલાઈ ૨૫, ૨૦૧૪ અથવા શનિવાર, જુલાઈ ૨૬, ૨૦૧૪ ના રોજ ગોઠવવાનું વિચારી રહ્યા છીએ.

NayanPancholiflyer

દેશના નિખિલ ભાવસાર – વલસાડ જિલ્લાનું ગૌરવ January 27, 2012

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , ,
11 comments

જાન્યુઆરીની ૧૬, તારીખે મારા નાના ભાઈને હિન્દ-રતન મળ્યાના આનંદના સમાચારમાં આપ સૌ મિત્રો સામેલ થયા હતા. આપ સૌ મિત્રોના અભિનંદન અને શુભેચ્છા માટે  હું અને મારું કુટુંબ આપના અભારી છીએ. એ પોસ્ટ દરમ્યાન એક બીજી પ્રતિભાનો પરિચય આપને કરાવેલો – દેશના નિખિલ ભાવસાર જેણે મારા ભાઈની કવિતાનું સ્વર નિયોજન-સંગીત નિયોજન કરી પોતાના સુમધુર સ્વરથી રેકોર્ડ કર્યું હતું. એ જ દેશનાને અભિનંદન સાથે આશિર્વાદ આપવાનું ટાણું આવ્યું છે.

સપ્તધારા ફેસ્ટીવલ ઝોનલ કક્ષાની સ્પર્ધા નવસારીમાં નારણલાલા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની દેશના નિખિલ ભાવસારે શાસ્ત્રીય સંગીત, હળવું કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાધ્યમાં તબલા તેમજ સોલોવાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લા તેમજ દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટ કોલેજ ઓફ એપ્લાયડ સાયન્સ વલસાડનું ગૌરવ વધાર્યું છે. આગામી ૩૦-૩૧ જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં દેશના ભાવસાર વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દેશના ભાવસારની રાજ્ય કક્ષામાં પસંદગી થતાં દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટના પરિવારે શુભેચ્છા પાઠવી છે.

(સૌજન્ય – દિવ્યભાસ્કર)  

મારા અને મારા કુટુંબ તરફથી દેશનાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે તે રાજ્ય કક્ષાએ પણ પોતાની કળાના કામણ પાથરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે. આપ પણ સાથે છો ને?

હિન્દ-રતન નો ખિતાબ શ્રી. કેતન ક્રિશ્ચિયનને (મારો નાનો ભાઈ) January 16, 2012

Posted by jagadishchristian in અવનવું, કવિતા, કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , ,
47 comments

એનઆરઆઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન એવોર્ડ ૨૦૧૨ મેળવતો મારો નાનો ભાઈ કેતન ક્રિશ્રિયન.

કેતન ક્રિશ્ચિયન મારો નાનો ભાઈ બહુમુખી પ્રતિભા ધરાવે છે અને એના કાજે આનંદ સાથે હંમેશા ગૌરવ અનુભવ્યું છે. એને એનઆરાઅઈ વેલ્ફેર સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી હિન્દ-રતન નો ખિતાબ મળી રહ્યો છે ત્યારે ગર્વથી છાતી ગજ ગજ ફુલે છે. એને બાળપણથી કવિતા અને કથનીનો શોખ. પીજના નવાસવા એકમાત્ર દુરદર્શન પર એના લખેલા ગ્રામ્યલક્ષી નાટકો પ્રસારિત થતા હતા. એની કવિતાઓ મેગેઝિનમાં છપાતી હતી.

આજે એની કવિ પ્રતિભાનો પુરાવો આપવાનો આ એક મોકો લઉ છું. આ કવિતાને વાંચો અને સાંભળો પણ ખરા. આ કવિતાનો સંગીત-સંકેત રોબિનસન રાઠોડનો  છે અને જેનું સ્વરાંકન, સ્વર-નિયોજન અને સ્વર આપ્યો છે પ્રતિભાશાળી દેશના નિખિલ ભાવસારે.

હળવેથી!

હળવેથી કોણ ભરી દે મારાં સૂના નયનોને સાવ સુંવાળા સ્વપ્નોથી?

કોણ હસી દે સાવ કોમળ કોમળ મારાં શુષ્ક મુખેથી?

આવેગોની આ ઊંચી-નીચી અણધારી પાળેથી ઝૂકી ઝૂકીને

કોણ સ્પર્શી લે સાવ નજીક મારાં ધ્રૂજતા અંગોથી?

બેફામ બનીને ઉદ્ ભવતા ભાવોને પળમાં ચહેરે આમ મઢાવી

કોણ ચૂમી લે સાવ નશીલું મારા સળવળતા હોઠોથી?

આકાશની ઝૂકેલી છાયામાં સળવળતી લાખો આંખો માંહેથી

કોણ શ્વસી લે એકપ્રાણ બનીને મારા શ્વાસ-ઉચ્છવાસેથી?

ઊગી નીકળેલા ભીનાં રણનાં જોજન વચ્ચેથી

કોણ ઊગી લે ધબકાર થઈને મારા નાનાં હૈયેથી?

કવિ – કેતન ક્રિશ્ચિયન

સ્વરાંકન, સંગીત-નિયોજન અને સ્વર – દેશના નિખિલ ભાવસાર

હેજી એવાં કોરાં રે અષાઢ – શ્રી. શિવરાજ અવકાશ અને શ્રી. નયનેશ જાની September 6, 2011

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, વિચાર-મંથન, સંગીત.
Tags: , , , , , , ,
8 comments

પ્રિય મિત્રો,

સાત મહિનાના અંતરાલ પછી મારા બ્લોગની વાપસીને આપ સૌનો મીઠો આવકાર મળ્યો છે એના માટે આપ સૌનો આભારી છું.  

ગયા વિકએન્ડમાં (ઓગસ્ટ ૨૭/૨૮) અમારા વિસ્તારમાં હરિકેન આઈરીને હાહાકાર મચાવ્યો હતો. ૮૫ માઈલ કરતાં પણ વધારે ઝડપથી ફૂંકાતા પવન સાથે વરસાદની હેલી. જોકે હવામાન ખાતાએ અઠવાડિયા પહેલાથી ચેતવણી આપવાની શરૂ કરી હતી. જોકે હું જ્યાં રહું છું ત્યાં પૂર કે રેલ આવે એવી શક્યતા ઓછી એટલે ખાસ ચિંતા હતી નહીં. પણ એક વાતની ચિંતા હતી કે વિદ્યુત વ્યવસ્થા ખોરવાઈ જશે. સામાન્ય રીતે અહીં અમેરિકામાં વીજળી ૨૪/૭ હોય જ છે. ભાગ્યેજ કોઈ વખત એકાદ-બે મિનિટ માટે બંધ થાય. અને એમજ થયું (શનિવારની રાત્રે) રવિવારની વહેલી સવારે ૧૨:૩૦ વાગે વીજળીએ વિદાય લીધી તો છેક રવિવારે બપોરે ૩:૧૫ વાગે પાછી ફરી. ખેર બહુ લાંબી વાત કરતો નથી. આના હેવાલ ટીવી અને વર્તમાનપત્રમાં વાંચ્યા જ હશે.

ભારતીય પંચાંગ પ્રમાણે અષાઢ પૂરો થઈ ગયો, શ્રાવણ પૂરો થવાની તૈયારી અને ભાદરવાનો આરંભ એવો આ સમય અને વરસાદ. ઊની ઊની રોટલી અને કારેલાંનું શાક કે પછી ગરમા-ગરમ ભજિયાં અચૂક યાદ આવે અને માણીએ પણ ખરા. અને જો આ મહિનાઓમાં વરસાદ ના આવે તો ક્યાંક કોઈ પ્રેયસી ચાતક નજરે પ્રિયતમની પ્રતીક્ષા કરતી ઘરના પ્રાંગણમાં બેઠી બેઠી વિરહની વેદના નીતરતું કોઈ ગીત ગણગણતી હોય અને આંખથી અશ્રુ સ્ખલિત થઈ સુકા આંગણ પર પડતાં જ બાષ્પ થઈ ઉડી જતું કલ્પી કંઈ કેટલાય સાહિત્યકારો પોતાની નવલકથામાં એકાદ-બે પ્રકરણ ઉમેરી દે. તો કોઈ કવિ વેદના ચીરતું ગીત લખી નાખે. આવા જ કંઈક વિચારોને રજૂ કરતું કંઈક બ્લોગ પર આપ સૌ સાથે વહેંચવું હતું. ત્યાં જ ગઈકાલે પાલનપુરના મારા મિત્ર (અને આપના પણ હશે) શ્રી. નરેન્દ્રભાઈ જગતાપે આવા મિજાજનું એક લયબધ્ધ ગીત એમના બ્લોગ પર મૂક્યું “કેમ કરી ભીંજાવું”. એટલે એમના પડોશ કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશનું એક ખૂબજ સુંદર ગીત અને એટલીજ સુંદર સ્વરરચના આપ મિત્રો સાથે વહેંચવાની ઇચ્છા ને કારણ મળી ગયું. આશા છે આપ સૌને ગમશે.        

શબ્દ – કલોલના કવિ શ્રી. શિવરાજ અવકાશ.
સ્વર અને સ્વરકાર – શ્રી.નયનેશ જાની
પ્રાપ્તિસ્થાન – સમન્વય ગુજરાત સમાચાર આયોજિત કાર્યક્રમની સીડી.

Image from web.

Image from web.

હેજી એવાં કોરાં રે અષાઢ!

હેજી એવાં કોરાં રે અષાઢ, શ્રાવણ કોરાં હોજી
હેજી એવાં મેહુલિયા વરસેને હૈયાં કોરાં હોજી

અમને હાંભરે મેળા ને હાંભરે ફરતા ચકડોળ
મેળે મનડું ના લાગે ભમતો મનડાનો મોર હેજી
તમે દૂર રે દેશાવર નથી કાંઈ ઓરાં હોજી…..

ચિતડાંના ચાતક કેરી પાંખ્યું રે કરમાતી
કૂણાં રે કાળજડાં કકડે આંખ્યું રાતી રાતી
હેજી એવાં યાદ્યું લઈને આવે તારલાના ટોળાં હોજી….

થનગનતા ઘોડલે પહોંચું હું પળવારે
જીવડો ના જંપે બેઠી પાદરને પગથારે
હેજી મારો નાવલિયો વરસે જેમ ઘનઘોરાં હોજી……

કવિશ્રી. શિવરાજ અવકાશ, કલોલ.