jump to navigation

Newspaper and TV coverage of the 2nd award ceremony held by Joseph Macwan foundation on October 09, 2016. October 11, 2016

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , ,
2 comments

Newspaper and TV coverage of the 2nd award ceremony held by Joseph Macwan foundation on October 09, 2016.

Please click on the image to watch DD TV coverage.

Please click on the image to watch DD TV coverage.

 

sg101016

humlog101016

db101016

gs101016

jmfoundation2ndevent2016

“Chalo Gujarat” fame AIANA launched “Aiana Cultural Club” and the very first program was held on September 10, 2016 October 1, 2016

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , ,
add a comment

અતિ લોકપ્રિય અને સફળ કાર્યક્રમ ‘ચાલો ગુજરાત’ ના આયોજક AIANA સંસ્થા દ્વારા ‘આઈના કલ્ચરલ કલબ’ શરુ કરેલ છે.

 

ક્લબ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ કાર્યક્રમ કરશે.

 

કાર્યક્રમોમાં કલાકારો અને સાહિત્યકારો ખાસ ભારતથી પધારશે. દરેક
કાર્યક્રમ સાત થી આઠ કલાકનો રહેશે અને સભ્યોને વિશીષ્ટ ડીનર અપાશે.

 

કલબનો પ્રથમ કાર્યક્રમ ‘મા, માતૃભૂમિ, અને માતૃભાષા’ ન્યુ બ્રૂનસ્વીકના નિકોલસ મ્યુઝીક સેન્ટર ખાતે સપ્ટેમ્બરની ૧૦ તારીખે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘રામલીલા’ ફેઈમ આસમાની ગાયક ઓસમાન મીર અને પ્રખ્યાત લેખક-વક્તા જય વસાવડાએ રંગ જમાવ્યો હતો. 

મેમ્બર થવા માટે AIANA નો CONTACT કરવો. Phone 732 545 7099732 545 7099 eMail: info@AIANAUSA.com

akila100116

ઓસમાન મીરને આ પહેલાં એક બે વખત સાંભળવાનો મોકો મળ્યો હતો પણ એમને ઘણો ઓછો સમય ફાળવવામાં આવેલો હોવાથી એમની વિશાળ ગાયકીના લાભથી વંચિત રહેવું પડેલું. પણ આ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમનો ભાર એમને જ સોંપી દેવાયો અને જે રંગત એમણે જમાવી એ અનુભવ આહલાદક હતો. “આઈના કલ્ચરલ ક્લબ” ના હોદ્દેદારો અને આયોજકોને અભિનંદન અને શુભકામના.

 

લગભગ સાત વરસ પહેલાં ઓસમાનનો અવાજ સાંભળેલો અને એની રજૂઆત ત્યારે આ બ્લોગ પર કરેલી. ફકત દિલની સફાઈ માંગે છે – કવિશ્રી કિરીટ ગોસ્વામી અને ગાયક ઓસમાન મીર. ચાલો ફરી વાગોળીએ………………..   

Mr. Janak Desai – A poet who is embossing his poetry by wind. His book was published on September 18, 2016 September 19, 2016

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.
Tags: , , , , , , , , , , , , , , , , , , , , , , , , , ,
1 comment so far

dbjd091916

navbharat091816

Pictures by Mr. Manish Pathak

14354951_656137804554647_6823822940128254310_n 14344974_656137381221356_7495225586125286898_n 14364790_656140947887666_1087598947383559873_n 14364765_656138584554569_3404274841394125949_n 14358854_656138754554552_6106864427752396135_n 14354976_656137591221335_3762762066402093657_n 14358699_656144301220664_433998764900652345_n 14322234_656139847887776_8983237497326227326_n 14359273_656138627887898_9195644319869709593_n 14359223_656138497887911_2551021591109440687_n 14359157_656144027887358_4817507273920629428_n 14355583_656138774554550_4083104238923110988_n 14332999_656143201220774_7009062717501461655_n 14329994_656143031220791_5763189109130333978_n 14344194_656140127887748_5694605633269917272_n 14364790_656142707887490_3525645902110254623_n 14368819_656142271220867_6345966973264281045_n 14329919_656143784554049_5429929712149202726_n 14344764_656141861220908_4914992214848790240_n 14359113_656139491221145_52638635220039753_n 14359110_656140607887700_868591867276727190_n 14364641_656139601221134_2067617773443253562_n 14358896_656139414554486_5332308394118206122_n 14358894_656138817887879_5917033128114992612_n 14358761_656138914554536_5859083825863503827_n 14355676_656139367887824_4718384722966370188_n 14355072_656144157887345_7607174497114354809_n 14344749_656139271221167_1392922681706122341_n 14344691_656139451221149_8127406903976336461_n 14344202_656140847887676_6395261658202408543_n 14344155_656141237887637_574423932878723712_n 14333645_656138621221232_8264845226065204840_n 14333211_656137901221304_6835586094402336944_n 14333141_656137834554644_8995846337585580654_n 14332998_656144674553960_2583904870911089722_n 14332955_656140167887744_4460936966932591457_n 14330045_656138231221271_2172837970694449685_n 14322781_656138244554603_8027401961595577075_n 14322672_656138107887950_2557064949370173562_n 14322627_656140604554367_4283209843386438528_n 14322594_656139654554462_4802356239756700405_n 14317582_656137771221317_5623826235774470786_n 14317414_656138014554626_5056110278696370044_n 14316708_656139301221164_3546844666530997530_n 14292373_656140287887732_7738181863325894414_n 14292373_656139217887839_2989277670348028936_n 14292319_656137361221358_3501369978291466647_n 14292253_656144087887352_7812105807923630969_n 14391026_656140014554426_8099616838139126810_n 14390943_656138507887910_7877392834570930449_n 14390726_656138751221219_8512231884848743967_n 14370452_656137867887974_6331255868913293366_n 14370315_656139054554522_6287456133112523659_n 14370054_656139634554464_997433322961857342_n 14368826_656138511221243_4847909312009800445_n 14368819_656141107887650_2490117501446831252_n

Congratulation to my friend and poet Mr. Janakbhai Desai for publishing two poetry books. September 9, 2016

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.
Tags: , ,
2 comments

અમેરિકાસ્થિત મારા સુહૃદજન અને કવિશ્રી. જનકભાઈ દેસાઈના બે કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા દર્શાવતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ બે પુસ્તકો એમના પરદેશમાં રહેવા છતાં માતૃભાષા પ્રત્યેની વંદનીય ભાવના સાથે એ ભાષાને ગૌરવપૂર્વક ધબકતી રાખવાના સફળ પ્રયત્નોનું પરિણામ અને પરિમાણ છે.

 

“હાથ મેં ઝાલ્યો પવનનો”

“આભ ખોલે વાંસળી”

 

સપ્ટેમ્બરની ૧૧ તારીખે “હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ”, રાજકોટ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર સમારોહમાં કવિ શ્રી. ભાગ્યેશ જહા (અધ્યક્ષ, ગુ.સા. અકાદમી, ગાંધીનગર) ના હસ્તે વિમોચન થશે. જનકભાઈની કાવ્ય-યાત્રા આજે એક મુકામ પર પહોંચી છે તેનો શ્રેય પંડને પરાણે મૂકી પોતાના મિત્રોને ફાળે નોંધાવે છે. આ પ્રસંગે તેઓ શ્રી. હર્ષિદા અને દીપક ત્રિવેદી, પારસ હેમાની અને રાકેશ હાંસલિયાના યોગદાન માટે વિશેષ આભારી છે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.

14192663_10210674369960053_7183017482505623762_n

સપ્ટેમ્બરની ૧૮ તારીખે “ગોવર્ધનસ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સાંજે ૪:૦૦ કલાલે યોજાનાર સમારોહમાં સુપ્રસિધ્ધ લેખક શ્રી. કૃષ્ણકાંત ઉનડકટ ના હસ્તે વિમોચન થશે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.   

14233047_10210703828856507_7660162092380327997_n

આ ઉપરાંત એમની ભારત (ગુજરાત) યાત્રા દરમ્યાન તેઓએ ઘણાં સાહિત્યકારોની મુલાકત લીધી છે અને લેવાના છે. આ યાત્રા દરમ્યાન એમણે ઘણાં કવિ સંમેલનોમાં હાજરી આપી છે અને આપવાના છે. આજ પછી યોજાનારા કવિ સંમેલનની જે માહિતી મને ઉપલબ્ધ છે તેની જાણકારી નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.

14222216_10210744071862557_7175726219160077078_n14238144_10210744072662577_7089852555796443255_n

 

શ્રી. જનકભાઈ દેસાઈ જ્યારે પાછા અમેરિકાના ન્યુ જર્સી ખાતે પરત પધારશે ત્યારે અમેરિકાસ્થિત સાહિત્યરસિક અને મિત્રો એમને વધાવવા ઉત્સુક છે. અહીં આવ્યા પછીના કાર્યક્રમની માહિતી માટે હવે પછી જણાવીશ.      

 

print-_-news-rajkot-_-akilanews

jdazadsandesh9916

jd-n-jc

Mr. Janak Desai, his wife, me, my son, my sister, my niece on July 04, 2016

આપનો આભાર અને ફરી મળીશું – જગદીશ ક્રિશ્ચિયન – September 09, 2016.

“સૂરસફર” ની યાદગાર સફળતા બાદ “સૃજના” યોજે છે “શબ્દસંગત” – શ્રી. કૃષ્ણ દવે સાથે ગીત-ગઝલની મસ્તીભરી સાંજ November 20, 2014

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ.
Tags: , , , , , , ,
add a comment

We would like to bring a superb end to our shows for the year 2014 by presenting a unique “Shabd Sangat” with our own Mr. Krushna Dave.​

Cordially we invite you to attend a special evening “Shabda Sangat” with a well known Poet Mr. Krushna Dave from Gujarat, India along with our home grown creative Poets. Please try to bring all Family members, Friends and support this event at your best. Details are given in this flyer, if you need to have more details please feel free to ask any of these contact number.

Hope to receive wonderful support from all of you.

Srujana Shabda sanget Flyer

“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 28, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગઝલ, સંગીત.
Tags: , , ,
add a comment

પ્રિય મિત્રો,

 

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.

 

FinalNayanPancholi

 

તારીખ: શનિવાર, ઑગસ્ટ ૧૬, ૨૦૧૪

 

સમય: સાંજના ૮ વાગે

 

સ્થળ: ટીવી એશિયા ઓડિટોરિયમ
૭૬ નેશનલ રોડ, એડિસન, ન્યુ જર્સી

 

પ્રવેશ ફી: ફક્ત ડોલર – $8.00

 

તો જરૂર આવો અને આપના મિત્ર સગાં સંબંધીઓને પણ જણાવજો અને લેતા આવજો.

“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 1, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: ,
1 comment so far

પ્રિય મિત્રો,

 

ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે. સ્થળ, તારીખ, સમય અને પ્રવેશ ફી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કાર્યક્રામ શુક્રવાર, જુલાઈ ૨૫, ૨૦૧૪ અથવા શનિવાર, જુલાઈ ૨૬, ૨૦૧૪ ના રોજ ગોઠવવાનું વિચારી રહ્યા છીએ.

NayanPancholiflyer

“બુધવારની બપોરે” કોલમના સર્જક શ્રી. અશોક દવેનો વાર્તાલાપ – આયોજક “ગુજરાત ફાઉન્ડેશન” April 18, 2014

Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.
Tags: , , , , ,
1 comment so far

પ્રિય મિત્રો,

 

શ્રી. અશોક દવે એ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય લેખકો પૈકીનું એક જાણીતું નામ છે. છેલ્લા ઘણા વરસોથી “ગુજરાત સમાચાર” માં “બુધવારની બપોરે” કટાર દ્વારા તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૧૮ પુસ્તકો પણ લખ્યા છે. તો એમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.

FlyerAshokDave

ગુજરાત દર્પણ સાહિત્ય સભા – શ્રી. ચંદ્રકાંત દેસાઈ ના બે પુસ્તકોનું વિમોચન – સપ્ટેમ્બર ૧૬ ૨૦૧૨ September 18, 2012

Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.
Tags: , , ,
9 comments

રવિવાર સપ્ટેમ્બરની ૧૬ તારીખે ગુજરાત દર્પણ સાહિત્ય સભાના અનુક્રમે માસિક સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય સભાના સૌ પરિવારજનો આ સભામાં પોતાની મૌલિક અને તરો-તાજી રચના (ગદ્ય કે પદ્ય) રજૂ કરે છે. આ સભાના આયોજક અને ગુજરાત દર્પણના તંત્રી શ્રી સુભાષ શાહ અને આ સભાના સંચાલક શ્રી. કૌશિક અમીન દરેક સભા દરમ્યાન જાણીતા ગુજરાતી સાહિત્યકારોને પણ આમંત્રણ આપતા હોય છે.

 

આજની સભામાં ગુજરાતથી પધારેલા બે વિખ્યાત સાહિત્યકારો આવ્યા હતા. કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ અને રણમાં ખીલ્યું ગુલાબ અને ડોક્ટરની ડાયરી કોલમના સર્જક તથા ઢગલાબંધ પુસ્તકોના લેખક અને કર્મે ગાયનેકોલોજીસ્ટ એવા ડો. શરદ ઠાકર.

 

સંચાલક શ્રી. કૌશિક અમીને સૌનું સ્વાગત કરતા આજની સભાનો દોર શરૂ કર્યો. અને સાહિત્ય સભાના પરિવારજનોને ક્રમવાર પોતાનો ટૂંકો પરિચય આપી પોતાની રચના રજૂ કરવામાં આમંત્રણ આપ્યું. આજની રજૂ કરવાની રચાનાનો વિષય હતો પાનખર. એક પછી એક સ્થાનિક રચનાકારોએ પોતાની કૃતિ રજૂ કરી. મેં પણ મારી એક અછાંદસ રચના રજૂ કરી. સમય-મર્યાદાને કારણે ઘણા સભ્યોએ પોતાની રચના રજૂ કરવાનું ટાળ્યું જેને બધાનો આવકાર મળ્યો. પરિવારના એક સદસ્ય જાણીતા નિર્માતા-નિર્દેશક અને નાટકકાર શ્રી. શૈલેશ ત્રિવેદીએ કોઈ રચના રજૂ ના કરી પણ તાજેતરમાં જ યોજાઈ ગયેલ ચાલો ગુજરાત ના ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન રજૂ થયેલ મલ્ટી-મીડિયા શોની ટૂંકમાં માહિતી આપી જેના નિર્માણ અને રજૂઆતમાં એમનો બહુમૂલ્ય ફાળો હતો. આ કાર્યક્રમ માટે બાળક ગાંધીના પાત્ર માટે અહીં જ જન્મેલા અને ક્યારેય કોઈ નાટકમાં ભાગ ન લીધેલા કુશની પસંદગી થઈ અને પાંચ હજારની મેદની સામે એણે સુંદર અભિનય કરી બધાંનાં દિલ જીતી લીધાં હતાં. શ્રી. શૈલેશભાઈએ એની ઓળખાણ આપી તો બધાંએ એને તાળીઓથી વધાવી લીધો. કુશ એ ગુજરાત દર્પણના માલિક અને તંત્રી શ્રી. સુભાષ શાહના પુત્ર અને દર્પણના મેનેજીંગ તંત્રી શ્રી. કલ્પેશ શાહનો પુત્ર છે.

 

હવે સમય આવ્યો આજના મુખ્ય મહેમાનોને સાંભળવાનો. સંચાલક શ્રી. કૌશિક અમીને ડો. શરદ ઠાકરનો ટૂંકો પરિચય આપી એમને પોતાનું વક્તવ્ય આપવા આમંત્રણ આપી વિનંતી કરી કે તેઓ પોતાના પુસ્તક સિંહપુરૂષ વિષે વિસ્તૃત વાત કરે. ભારતની આઝાદીની લડાઈનો જે ઇતિહાસ આપણે જાણીએ છીએ તે એકતરફી છે અથવા અધૂરો છે એવી એમણે રજૂઆત કરી. સિક્કાની બીજી તરફની વાતો એમણે આ પોતાના પુસ્તક સિંહપુરૂષમાં રજૂ કરી છે. એમના વક્તવ્ય પછીની પશ્રોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો. કેટલાક પ્રશ્નો એમને અકળાવી ગયા હોય એવું લાગ્યું. પણ એક વાત નક્કી છે કે કોઈ પણ પરિસ્થિતિ કે પ્રસંગને પોતાની દ્રષ્ટિથી જોઈને સમજવી એ આપણો અધિકાર છે પણ બીજાની દ્રષ્ટિકોણનો પણ અભ્યાસ કરવો જોઈએ અને જરૂર પડ્યે આપણી પોતાની સમજને પરખવી જોઈએ. આઝાદી કે સ્વતંત્રતા મેળવવા માટે બધા પ્રયોગો થતા હોય છે એને યોગ્ય-અયોગ્યની ચારણીથી ગાળીએ તો અહિંસા એ અતિ ઉત્તમ પ્રયોગ છે.

 

બીજા અતિથિ  પોતાનું વક્તવ્ય આપે એ પહેલાં જાણીતા સાહિત્યકાર અને આ સાહિત્ય સભાના અગ્રણી શ્રી. ચંદ્રકાંત દેસાઈના બે પુસ્તકનું વિમોચન કરવાની જાહેરાત થઈ. આજના અતિથિ  વિશેષ શ્રી. ધીરુભાઈ પરીખ અને ડો. શરદ ઠાકર ના હસ્તે સાગરનાં મોતી (મુક્તક સંગ્રહ) અને નથી એક જ માનવી (કાવ્યસંગ્રહ) નું તાળીઓના ગળગળાટ વચ્ચે વિમોચન કરવામાં આવ્યું.

 

હવે સમય હતો બહુમુખી પ્રતિભાના માલિક અને ઉમદા વક્તા કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ ના ઉદબોધનનો. નીચેના વિડીયોમાં પુસ્તકનું વિવેચન અને એમનું થોડું વક્તવ્ય સાંભળી શકો છો.

 

 

અંતમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ એ પોતાના વિમોચિત પુસ્તકમાંથી થોડાં મુક્તકો અને કવિતાઓ રજૂ કરી. સાંજના નવ વાગે સંચાલક શ્રી. કૌશિક અમીને બધાંનો આભાર માની ભોજન માણવા બધાને આમંત્રણ આપ્યું.

 

આજના આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતી બ્લોગ દ્વારા બનેલા મિત્ર અને પાલનપુરના ગઝલકાર શ્રી. મનહર મોદી (મન પાલનપુરી) ને મળવાનો મોકો મળ્યો તો બહુ જ આનંદ થયો. તેઓ હજુ બે મહિના અહીં જ છે તો ફરી મુલાકાત કરવાના વાયદા સાથે છુટા પડ્યા.

This slideshow requires JavaScript.

દેશના નિખિલ ભાવસાર – વલસાડ જિલ્લાનું ગૌરવ January 27, 2012

Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.
Tags: , , ,
11 comments

જાન્યુઆરીની ૧૬, તારીખે મારા નાના ભાઈને હિન્દ-રતન મળ્યાના આનંદના સમાચારમાં આપ સૌ મિત્રો સામેલ થયા હતા. આપ સૌ મિત્રોના અભિનંદન અને શુભેચ્છા માટે  હું અને મારું કુટુંબ આપના અભારી છીએ. એ પોસ્ટ દરમ્યાન એક બીજી પ્રતિભાનો પરિચય આપને કરાવેલો – દેશના નિખિલ ભાવસાર જેણે મારા ભાઈની કવિતાનું સ્વર નિયોજન-સંગીત નિયોજન કરી પોતાના સુમધુર સ્વરથી રેકોર્ડ કર્યું હતું. એ જ દેશનાને અભિનંદન સાથે આશિર્વાદ આપવાનું ટાણું આવ્યું છે.

સપ્તધારા ફેસ્ટીવલ ઝોનલ કક્ષાની સ્પર્ધા નવસારીમાં નારણલાલા કોલેજ ખાતે યોજાઈ હતી. જેમાં વલસાડની દેશના નિખિલ ભાવસારે શાસ્ત્રીય સંગીત, હળવું કંઠ્ય સંગીત અને શાસ્ત્રીય વાધ્યમાં તબલા તેમજ સોલોવાદન સ્પર્ધામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી વલસાડ જિલ્લા તેમજ દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટ કોલેજ ઓફ એપ્લાયડ સાયન્સ વલસાડનું ગૌરવ વધાર્યું છે. આગામી ૩૦-૩૧ જાન્યુઆરીએ રાજકોટ ખાતે યોજાનાર રાજ્ય ક્ક્ષાની સ્પર્ધામાં ત્રણેય વિભાગમાં દેશના ભાવસાર વલસાડ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે. દેશના ભાવસારની રાજ્ય કક્ષામાં પસંદગી થતાં દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટના પરિવારે શુભેચ્છા પાઠવી છે.

(સૌજન્ય – દિવ્યભાસ્કર)  

મારા અને મારા કુટુંબ તરફથી દેશનાને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ કે તે રાજ્ય કક્ષાએ પણ પોતાની કળાના કામણ પાથરી પ્રથમ સ્થાન પ્રાપ્ત કરે. આપ પણ સાથે છો ને?