Newspaper and TV coverage of the 2nd award ceremony held by Joseph Macwan foundation on October 09, 2016. October 11, 2016
Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.Tags: ઈન્દુકુમાર જાની, જોસેફ મેકવાન, ડો. મોહન પરમાર, રઘુવીર ચૌધરી, Dr. Mohan Parmar, Indukumar Jani, Joseph Macwan, Raghuveer Chaudhary
2 comments
Newspaper and TV coverage of the 2nd award ceremony held by Joseph Macwan foundation on October 09, 2016.
“Chalo Gujarat” fame AIANA launched “Aiana Cultural Club” and the very first program was held on September 10, 2016 October 1, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સંગીત, સમાચાર-હેવાલ.Tags: Aiana, Aiana Cultural Club, Akila, અકિલા, આઈના કલ્ચરલ ક્લબ, ઓસમાન મીર, જય વસાવડા, Jay Vasavada, Nicholas Music Center, Osman Mir
add a comment
અતિ લોકપ્રિય અને સફળ કાર્યક્રમ ‘ચાલો ગુજરાત’ ના આયોજક AIANA સંસ્થા દ્વારા ‘આઈના કલ્ચરલ કલબ’ શરુ કરેલ છે.
ક્લબ વર્ષમાં ઓછામાં ઓછા પાંચ કાર્યક્રમ કરશે.
કાર્યક્રમોમાં કલાકારો અને સાહિત્યકારો ખાસ ભારતથી પધારશે. દરેક…
કાર્યક્રમ સાત થી આઠ કલાકનો રહેશે અને સભ્યોને વિશીષ્ટ ડીનર અપાશે.
કલબનો પ્રથમ કાર્યક્રમ ‘મા, માતૃભૂમિ, અને માતૃભાષા’ ન્યુ બ્રૂનસ્વીકના નિકોલસ મ્યુઝીક સેન્ટર ખાતે સપ્ટેમ્બરની ૧૦ તારીખે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ‘રામલીલા’ ફેઈમ આસમાની ગાયક ઓસમાન મીર અને પ્રખ્યાત લેખક-વક્તા જય વસાવડાએ રંગ જમાવ્યો હતો.
મેમ્બર થવા માટે AIANA નો CONTACT કરવો. Phone 732 545 7099732 545 7099 eMail: info@AIANAUSA.com
ઓસમાન મીરને આ પહેલાં એક બે વખત સાંભળવાનો મોકો મળ્યો હતો પણ એમને ઘણો ઓછો સમય ફાળવવામાં આવેલો હોવાથી એમની વિશાળ ગાયકીના લાભથી વંચિત રહેવું પડેલું. પણ આ કાર્યક્રમ દરમ્યાન કાર્યક્રમનો ભાર એમને જ સોંપી દેવાયો અને જે રંગત એમણે જમાવી એ અનુભવ આહલાદક હતો. “આઈના કલ્ચરલ ક્લબ” ના હોદ્દેદારો અને આયોજકોને અભિનંદન અને શુભકામના.
લગભગ સાત વરસ પહેલાં ઓસમાનનો અવાજ સાંભળેલો અને એની રજૂઆત ત્યારે આ બ્લોગ પર કરેલી. ફકત દિલની સફાઈ માંગે છે – કવિશ્રી કિરીટ ગોસ્વામી અને ગાયક ઓસમાન મીર. ચાલો ફરી વાગોળીએ………………..
Mr. Janak Desai – A poet who is embossing his poetry by wind. His book was published on September 18, 2016 September 19, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર, સમાચાર-હેવાલ.Tags: કુમાર જેમિની શાસ્ત્રી, કૃષ્ણકાંત ઉનડકટ, જનક દેસાઈ, જ્યોતિ ભટ્ટ, ધૂની માંડલિયા, પ્રાર્થના જહા, ભાગ્યેશ જહા, મનીષ પાઠક, રક્ષા શુક્લ, રમેશ ઠક્કર, વિનય દવે, શ્રી. ચિનુ મોદી, હરદ્વાર ગોસ્વામી, Bhagyesh Jha, Chinu Modi, Dhooni Mandaliya, Divya Bhaskar, Hardwar Goswami, Janak Desai, Jyoti Bhatt, Krishnakant Unadkat, Kumar Jaimini Shastri, Manish Pathak, Prarthana Jha, Raksha Shukla, Ramesh Thakker, Vinay Dave
1 comment so far
Pictures by Mr. Manish Pathak
Congratulation to my friend and poet Mr. Janakbhai Desai for publishing two poetry books. September 9, 2016
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, સમાચાર-હેવાલ.Tags: કવિતા, જગદીશ ક્રિશ્ચિયન, જનક દેસાઈ
2 comments
અમેરિકાસ્થિત મારા સુહૃદજન અને કવિશ્રી. જનકભાઈ દેસાઈના બે કાવ્યસંગ્રહ પ્રકાશિત થઈ રહ્યાં છે ત્યારે તેમને ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છા દર્શાવતાં આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આ બે પુસ્તકો એમના પરદેશમાં રહેવા છતાં માતૃભાષા પ્રત્યેની વંદનીય ભાવના સાથે એ ભાષાને ગૌરવપૂર્વક ધબકતી રાખવાના સફળ પ્રયત્નોનું પરિણામ અને પરિમાણ છે.
“હાથ મેં ઝાલ્યો પવનનો”
“આભ ખોલે વાંસળી”
સપ્ટેમ્બરની ૧૧ તારીખે “હેમુ ગઢવી મીની ઓડીટોરીયમ”, રાજકોટ ખાતે રાત્રે ૮:૩૦ કલાકે યોજાનાર સમારોહમાં કવિ શ્રી. ભાગ્યેશ જહા (અધ્યક્ષ, ગુ.સા. અકાદમી, ગાંધીનગર) ના હસ્તે વિમોચન થશે. જનકભાઈની કાવ્ય-યાત્રા આજે એક મુકામ પર પહોંચી છે તેનો શ્રેય પંડને પરાણે મૂકી પોતાના મિત્રોને ફાળે નોંધાવે છે. આ પ્રસંગે તેઓ શ્રી. હર્ષિદા અને દીપક ત્રિવેદી, પારસ હેમાની અને રાકેશ હાંસલિયાના યોગદાન માટે વિશેષ આભારી છે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
સપ્ટેમ્બરની ૧૮ તારીખે “ગોવર્ધનસ્મૃતિ મંદિર, ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ ખાતે સાંજે ૪:૦૦ કલાલે યોજાનાર સમારોહમાં સુપ્રસિધ્ધ લેખક શ્રી. કૃષ્ણકાંત ઉનડકટ ના હસ્તે વિમોચન થશે. આ લોકાર્પણ સમારોહ કાર્યક્રમની રૂપરેખા નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
આ ઉપરાંત એમની ભારત (ગુજરાત) યાત્રા દરમ્યાન તેઓએ ઘણાં સાહિત્યકારોની મુલાકત લીધી છે અને લેવાના છે. આ યાત્રા દરમ્યાન એમણે ઘણાં કવિ સંમેલનોમાં હાજરી આપી છે અને આપવાના છે. આજ પછી યોજાનારા કવિ સંમેલનની જે માહિતી મને ઉપલબ્ધ છે તેની જાણકારી નીચે જોઈ શકો છો. શક્ય હોય તો હાજરી આપવા વિનંતી.
શ્રી. જનકભાઈ દેસાઈ જ્યારે પાછા અમેરિકાના ન્યુ જર્સી ખાતે પરત પધારશે ત્યારે અમેરિકાસ્થિત સાહિત્યરસિક અને મિત્રો એમને વધાવવા ઉત્સુક છે. અહીં આવ્યા પછીના કાર્યક્રમની માહિતી માટે હવે પછી જણાવીશ.
આપનો આભાર અને ફરી મળીશું – જગદીશ ક્રિશ્ચિયન – September 09, 2016.
“સૂરસફર” ની યાદગાર સફળતા બાદ “સૃજના” યોજે છે “શબ્દસંગત” – શ્રી. કૃષ્ણ દવે સાથે ગીત-ગઝલની મસ્તીભરી સાંજ November 20, 2014
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગઝલ.Tags: કૃષ્ણ દવે, ગુજરાત ફાઉન્ડેશન, શબ્દસંગત, સૃજના, Gujarat Foundation, Krushna Dave, Shabdsangat, Srujnaa
add a comment
We would like to bring a superb end to our shows for the year 2014 by presenting a unique “Shabd Sangat” with our own Mr. Krushna Dave.
Cordially we invite you to attend a special evening “Shabda Sangat” with a well known Poet Mr. Krushna Dave from Gujarat, India along with our home grown creative Poets. Please try to bring all Family members, Friends and support this event at your best. Details are given in this flyer, if you need to have more details please feel free to ask any of these contact number.
Hope to receive wonderful support from all of you.
“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 28, 2014
Posted by jagadishchristian in કાર્યક્રમ, ગઝલ, સંગીત.Tags: ટીવી એશિયા, નયન પંચોલી, Nayan Pancholi, TV Asia
add a comment
પ્રિય મિત્રો,
ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.
તારીખ: શનિવાર, ઑગસ્ટ ૧૬, ૨૦૧૪
સમય: સાંજના ૮ વાગે
સ્થળ: ટીવી એશિયા ઓડિટોરિયમ
૭૬ નેશનલ રોડ, એડિસન, ન્યુ જર્સી
પ્રવેશ ફી: ફક્ત ડોલર – $8.00
તો જરૂર આવો અને આપના મિત્ર સગાં સંબંધીઓને પણ જણાવજો અને લેતા આવજો.
“સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર શ્રી. નયન પંચોલી. July 1, 2014
Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.Tags: નયન પંચોલી, Nayan Pancholi
1 comment so far
પ્રિય મિત્રો,
ગુજરાતના ખ્યાતનામ સંગીતકારો પૈકીનું એક જાણીતું નામ એટલે શ્રી. નયન પંચોલી. ૨૦૧૨-૨૦૧૩ ના ગુજરાતી ગૌરવ પુરસ્કાર વિજેતા સંગીતકાર અને ગાયક શ્રી. નયન પંચોલી અત્યારે અમેરિકાની મુલાકાતે આવ્યા છે. “સૂરસફર” નવાં ગુજરાતી-હિન્દી ગીત-ગઝલ ના કાફલા સાથે તેમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે. સ્થળ, તારીખ, સમય અને પ્રવેશ ફી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. કાર્યક્રામ શુક્રવાર, જુલાઈ ૨૫, ૨૦૧૪ અથવા શનિવાર, જુલાઈ ૨૬, ૨૦૧૪ ના રોજ ગોઠવવાનું વિચારી રહ્યા છીએ.
“બુધવારની બપોરે” કોલમના સર્જક શ્રી. અશોક દવેનો વાર્તાલાપ – આયોજક “ગુજરાત ફાઉન્ડેશન” April 18, 2014
Posted by jagadishchristian in કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.Tags: Ashok Dave, અશોક દવે, ગુજરાત સમાચાર, જેન્તી જોખમ, બેધવારની બપોરે, Budhavarni Bapore
1 comment so far
પ્રિય મિત્રો,
શ્રી. અશોક દવે એ ગુજરાતના ખ્યાતનામ હાસ્ય લેખકો પૈકીનું એક જાણીતું નામ છે. છેલ્લા ઘણા વરસોથી “ગુજરાત સમાચાર” માં “બુધવારની બપોરે” કટાર દ્વારા તેઓ ખૂબ જ ખ્યાતિ પામ્યા છે. અત્યાર સુધીમાં તેમણે ૧૮ પુસ્તકો પણ લખ્યા છે. તો એમને મળવા અને માણવા માટે આપ સર્વને ભાવપૂર્ણ આમંત્રણ છે.
ગુજરાત દર્પણ સાહિત્ય સભા – શ્રી. ચંદ્રકાંત દેસાઈ ના બે પુસ્તકોનું વિમોચન – સપ્ટેમ્બર ૧૬ ૨૦૧૨ September 18, 2012
Posted by jagadishchristian in કવિતા, કાર્યક્રમ, ગુજરાતી સાહિત્યકાર.Tags: કૌશિક અમીન, ગુજરત દર્પણ, ડો. શરદ ઠાકર, શ્રી. ધીરુભાઈ પરીખ
9 comments
રવિવાર સપ્ટેમ્બરની ૧૬ તારીખે ગુજરાત દર્પણ સાહિત્ય સભાના અનુક્રમે માસિક સાહિત્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. સાહિત્ય સભાના સૌ પરિવારજનો આ સભામાં પોતાની મૌલિક અને તરો-તાજી રચના (ગદ્ય કે પદ્ય) રજૂ કરે છે. આ સભાના આયોજક અને ગુજરાત દર્પણના તંત્રી શ્રી સુભાષ શાહ અને આ સભાના સંચાલક શ્રી. કૌશિક અમીન દરેક સભા દરમ્યાન જાણીતા ગુજરાતી સાહિત્યકારોને પણ આમંત્રણ આપતા હોય છે.
આજની સભામાં ગુજરાતથી પધારેલા બે વિખ્યાત સાહિત્યકારો આવ્યા હતા. કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ અને રણમાં ખીલ્યું ગુલાબ અને ડોક્ટરની ડાયરી કોલમના સર્જક તથા ઢગલાબંધ પુસ્તકોના લેખક અને કર્મે ગાયનેકોલોજીસ્ટ એવા ડો. શરદ ઠાકર.
સંચાલક શ્રી. કૌશિક અમીને સૌનું સ્વાગત કરતા આજની સભાનો દોર શરૂ કર્યો. અને સાહિત્ય સભાના પરિવારજનોને ક્રમવાર પોતાનો ટૂંકો પરિચય આપી પોતાની રચના રજૂ કરવામાં આમંત્રણ આપ્યું. આજની રજૂ કરવાની રચાનાનો વિષય હતો પાનખર. એક પછી એક સ્થાનિક રચનાકારોએ પોતાની કૃતિ રજૂ કરી. મેં પણ મારી એક અછાંદસ રચના રજૂ કરી. સમય-મર્યાદાને કારણે ઘણા સભ્યોએ પોતાની રચના રજૂ કરવાનું ટાળ્યું જેને બધાનો આવકાર મળ્યો. પરિવારના એક સદસ્ય જાણીતા નિર્માતા-નિર્દેશક અને નાટકકાર શ્રી. શૈલેશ ત્રિવેદીએ કોઈ રચના રજૂ ના કરી પણ તાજેતરમાં જ યોજાઈ ગયેલ ચાલો ગુજરાત ના ત્રિદિવસીય કાર્યક્રમ દરમ્યાન રજૂ થયેલ મલ્ટી-મીડિયા શોની ટૂંકમાં માહિતી આપી જેના નિર્માણ અને રજૂઆતમાં એમનો બહુમૂલ્ય ફાળો હતો. આ કાર્યક્રમ માટે બાળક ગાંધીના પાત્ર માટે અહીં જ જન્મેલા અને ક્યારેય કોઈ નાટકમાં ભાગ ન લીધેલા કુશની પસંદગી થઈ અને પાંચ હજારની મેદની સામે એણે સુંદર અભિનય કરી બધાંનાં દિલ જીતી લીધાં હતાં. શ્રી. શૈલેશભાઈએ એની ઓળખાણ આપી તો બધાંએ એને તાળીઓથી વધાવી લીધો. કુશ એ ગુજરાત દર્પણના માલિક અને તંત્રી શ્રી. સુભાષ શાહના પુત્ર અને દર્પણના મેનેજીંગ તંત્રી શ્રી. કલ્પેશ શાહનો પુત્ર છે.
હવે સમય આવ્યો આજના મુખ્ય મહેમાનોને સાંભળવાનો. સંચાલક શ્રી. કૌશિક અમીને ડો. શરદ ઠાકરનો ટૂંકો પરિચય આપી એમને પોતાનું વક્તવ્ય આપવા આમંત્રણ આપી વિનંતી કરી કે તેઓ પોતાના પુસ્તક સિંહપુરૂષ વિષે વિસ્તૃત વાત કરે. ભારતની આઝાદીની લડાઈનો જે ઇતિહાસ આપણે જાણીએ છીએ તે એકતરફી છે અથવા અધૂરો છે એવી એમણે રજૂઆત કરી. સિક્કાની બીજી તરફની વાતો એમણે આ પોતાના પુસ્તક સિંહપુરૂષમાં રજૂ કરી છે. એમના વક્તવ્ય પછીની પશ્રોત્તરીનો કાર્યક્રમ રસપ્રદ રહ્યો. કેટલાક પ્રશ્નો એમને અકળાવી ગયા હોય એવું લાગ્યું. પણ એક વાત નક્કી છે કે કોઈ પણ પરિસ્થિતિ કે પ્રસંગને પોતાની દ્રષ્ટિથી જોઈને સમજવી એ આપણો અધિકાર છે પણ બીજાની દ્રષ્ટિકોણનો પણ અભ્યાસ કરવો જોઈએ અને જરૂર પડ્યે આપણી પોતાની સમજને પરખવી જોઈએ. આઝાદી કે સ્વતંત્રતા મેળવવા માટે બધા પ્રયોગો થતા હોય છે એને યોગ્ય-અયોગ્યની ચારણીથી ગાળીએ તો અહિંસા એ અતિ ઉત્તમ પ્રયોગ છે.
બીજા અતિથિ પોતાનું વક્તવ્ય આપે એ પહેલાં જાણીતા સાહિત્યકાર અને આ સાહિત્ય સભાના અગ્રણી શ્રી. ચંદ્રકાંત દેસાઈના બે પુસ્તકનું વિમોચન કરવાની જાહેરાત થઈ. આજના અતિથિ વિશેષ શ્રી. ધીરુભાઈ પરીખ અને ડો. શરદ ઠાકર ના હસ્તે સાગરનાં મોતી (મુક્તક સંગ્રહ) અને નથી એક જ માનવી (કાવ્યસંગ્રહ) નું તાળીઓના ગળગળાટ વચ્ચે વિમોચન કરવામાં આવ્યું.
હવે સમય હતો બહુમુખી પ્રતિભાના માલિક અને ઉમદા વક્તા કુમાર સામયિકના તંત્રી શ્રી. ધીરુભાઈ પરીખ ના ઉદબોધનનો. નીચેના વિડીયોમાં પુસ્તકનું વિવેચન અને એમનું થોડું વક્તવ્ય સાંભળી શકો છો.
અંતમાં શ્રી. ચંદ્રકાંત દેસાઈ એ પોતાના વિમોચિત પુસ્તકમાંથી થોડાં મુક્તકો અને કવિતાઓ રજૂ કરી. સાંજના નવ વાગે સંચાલક શ્રી. કૌશિક અમીને બધાંનો આભાર માની ભોજન માણવા બધાને આમંત્રણ આપ્યું.
આજના આ કાર્યક્રમ દરમ્યાન ગુજરાતી બ્લોગ દ્વારા બનેલા મિત્ર અને પાલનપુરના ગઝલકાર શ્રી. મનહર મોદી (મન પાલનપુરી) ને મળવાનો મોકો મળ્યો તો બહુ જ આનંદ થયો. તેઓ હજુ બે મહિના અહીં જ છે તો ફરી મુલાકાત કરવાના વાયદા સાથે છુટા પડ્યા.
દેશના નિખિલ ભાવસાર – વલસાડ જિલ્લાનું ગૌરવ January 27, 2012
Posted by jagadishchristian in કાર્યક્રમ, સંગીત, સમાચાર-હેવાલ.Tags: દેશના નિખિલ ભાવસાર, દોલત ઉષા ઇન્સ્ટીટ્યુટ, Deshana Nikhil Bhavsar, Dolat Usha Institute
11 comments